શોધખોળ કરો

Suprme Court : રામ નવમી પર થયેલી હિંસાનો મામલો હવે સુપ્રીમમાં, કરાઈ આકરી માંગ

રામ નવમી દરમિયાન યોજાયેલી યાત્રા પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી. હવે રામ નવમી દરમિયાન થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

Case Ram Navami Reached : રામ નવમી દરમિયાન યોજાયેલી યાત્રા પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી. હવે રામ નવમી દરમિયાન થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિન્દુઓ માટે કામ કરતી સંસ્થા હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સરઘસ દરમિયાન થયેલા રમખાણોની તપાસની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ગુજરાતમાં 30 માર્ચે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન રમખાણો થયા હતા.

સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં રમખાણોમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ અને તેમની સંપત્તિને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ મામલે  ઉંડી તપાસની પણ માંગણી કરવામાં આવી છે.

દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન દેશના ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા એમ લગભગ 6 રાજ્યો કોમી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં જાનમાલની સંપત્તિને નુકશાન પહોંચ્યું છે. આ મામલે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં સંગઠને હિંસા પ્રભાવિત રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી રિપોર્ટ મંગાવવાની પણ માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે લોકો પર હિંસા ફેલાવવાનો અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે તેમની પાસેથી જ નુકસાની વસૂલવામાં આવે.

જાહેર છે કે, આ પહેલા સોમવારે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને હાવડામાં રામ નવમીની રેલી દરમિયાન થયેલી અથડામણ પર બુધવાર (5 એપ્રિલ) સુધીમાં કાર્યવાહીનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. આ આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસ ટીએસ શિવગ્નામ અને જસ્ટિસ હિરન્મોય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માંગ કરવામાં આવી હતી.

તેવી જ રીતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં રામ નવમી દરમિયાન શોભાયાત્રાને મંજૂરી આપવાની પણ મોટી માંગ કરવામાં આવી છે. સંગઠને તેની અરજીમાં માંગ કરી છે કે, રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, કોઈ પણ વિસ્તારને મુસ્લિમ બહુમતી વિસ્તાર જાહેર કરીને હિન્દુઓના સરઘસ અને શોભાયાત્રાને મંજૂરી આપતા અટકાવે નહીં.

Amit Shah: ...તો દંગાખોરોને ઉંધા લટકાવીને સીધા કરી નાખીશું, અમિત શાહની ખુલ્લી ચેતવણી

Amit Shah Rally in Nawada : કેન્દ્રીય મંત્રી અમિત શાહે બિહારમાં ભડકેલી હિંસાને લઈને આકરૂ વલણ દાખવ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી બિહારમાં ભાજપને તમામ 40 બેઠકો પર જીત અપાવો પછી 2025ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપને સંપૂર્ણ બહુમતી આપો. ત્યાર બાદ ઉંધા લટકેલા તોફાનીને સીધા કરવાની કામગીરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નવાદા જિલ્લાના હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જાહેર સભા કરવા પહોંચ્યા હતા. મંચ પર પહોંચીને તેમણે સૌપ્રથમ સમ્રાટ અશોકના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંચ પર પહોંચતા જ પાર્ટીના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Embed widget