શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આંતકીઓ ફેલાયેલા હોવાની સેનાને બાતમી મળી છે. આ આંતકીઓ હિઝબૂલના હોવાની શંકા છે
![જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા three terrorists killed in encounter in J&K જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/29160357/Army-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે, અનંતનાગના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આંતકી ઠાર મરાયા છે. કાશ્મીર ઝૉન પોલીસે કહ્યું કે આંતકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પહેલા 26 જૂને સુરક્ષાદળો દ્વારા ત્રાલમાં એક અથડામણમાં ત્રણ આંતકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીર પોલીસને ચેવા ઉલાર ગામમાં આંતકીઓની હાજરી હોવાની બાતમી મળ્ય બાદ આ અથડામણ થઇ હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં હિઝબૂલ મુઝાહિદ્દીનના આંતકીઓની હવે કોઇ હોઇ હાજરી નથી. 1989માં ઘાટીમાં આંતકીના ફેલાવવા બાદ આવુ પહેલીવાર થયુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલના ચેલા ઉલાર વિસ્તારમાં સુરક્ષાદળોની સાથે આખી રાત દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આંતકીઓ ઠાર મરાયા બાદ પોલીસે આ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આંતકીઓ ફેલાયેલા હોવાની સેનાને બાતમી મળી છે. આ આંતકીઓ હિઝબૂલના હોવાની શંકા છે.
![જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/29160410/Army-02-300x169.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)