શોધખોળ કરો

Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ

Goa Temple Stampede:ગોવાના શિરગાંવમાં દેવી લૈરાઈ યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે જયારે 30 લોકો ઘાયલ થયા છે.

Goa Temple Stampede: ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન શુક્રવારે (02 મે, 2025) રાત્રે એક  દુર્ધટના સર્જાઇ,અહીંના લરાઈ મંદિરમાં ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અચાનક મોટી ભીડમાં ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નાસભાગ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને લોકો એકબીજા પર પડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

ભાગદોડ પાછળનું કારણ

અધિકારીઓએ હજુ સુધી નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ અકસ્માત ભીડભાડ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે થયો હતો. ઘટના સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પ્રસંગે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

મંદિરમાં 1000 પોલીસકર્મીઓ તૈનાત

શુક્રવારે શરૂ થયેલી શ્રી દેવી લૈરાઈ યાત્રા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા માટે લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક હતું. ભીડની ગતિવિધિઓનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે મુખ્યમંત્રી સાવંત, તેમના પત્ની સુલક્ષણા, રાજ્યસભાના સાંસદ સદાનંદ શેટ તનાવડે અને ધારાસભ્યો પ્રેમેન્દ્ર શેટ અને કાર્લોસ ફરેરાએ સ્થળની મુલાકાત લીધી હતી.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
PM Kisan Nidhi: આજે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરાશે, આ ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા
PM Kisan Nidhi: આજે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરાશે, આ ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા
Embed widget