શોધખોળ કરો

Tripura BJP Candidate List 2023: ત્રિપુરામાં ભાજપની પ્રથમ યાદીમાં બિપ્લબ દેબનું નામ નહી, બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ

યાદીમાં પૂર્વ સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે તેમની બેઠક બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે

Tripura Election 2023:  ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 48 વિધાનસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદી જાહેર થતાં જ પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબ ચૂંટણી નહીં લડે તેવી અટકળોને વેગ મળ્યો છે.

યાદીમાં પૂર્વ સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે તેમની બેઠક બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સીએમ માણિક સાહાને ટાઉન બોર્ડોવાલી વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમને ધનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બે મુસ્લિમ ઉમેદવારો

ભાજપની પ્રથમ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. તફઝલ હોસૈનને બોક્સનગરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

16 ફેબ્રુઆરીએ મતદાન થશે

ચૂંટણી પંચે 18 જાન્યુઆરીએ ત્રિપુરામાં 60 બેઠકોવાળી વિધાનસભાની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતગણતરી 2 માર્ચે થશે. ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.

ત્રિપુરા ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.  નોમિનેશનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. 2 ફેબ્રુઆરી સુધી નામાંકન પરત ખેંચી શકાશે.

ત્રિપુરામાં ભાજપ સતત બે ટર્મથી સત્તામાં છે, પરંતુ આ વખતે ભાજપ સામે મોટો પડકાર છે. ગત વખતે ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી, પરંતુ તેની અને સીપીએમ વચ્ચેના વોટ શેરમાં તફાવત માત્ર 1.25 ટકા હતો. ભાજપે 2022માં બિપ્લબ દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ દાવ કેટલો અસરકારક છે તે તો ચૂંટણીમાં જ ખબર પડશે.

Lok Sabha Election : ભાજપ 2024માં ફરી બોલાવી શકે છે સપાટો, ઉત્તર પ્રદેશ ફરી સૌને ચોંકાવશે

Mood Of The Nation Survey for Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  પોતાની ગત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકથી જ ભાજપ લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ સહિત બાકીના પક્ષો હજુ પણ તેના માટે વ્યૂહરચના બનાવવામાં લાગી ગયા છે. કેટલાક વિરોધ પક્ષો હજુ પણ આશાવાદી છે કે ચૂંટણી પહેલા ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવી જશે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના રિપોર્ટ વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી શકે છે. આજે જ ચૂંટણી યોજાય તો કોની સરકાર રચાય તેને લઈને પણ ખુલાસો થયો છે.

જનતાનો મૂડ શું છે તેનો ચિતાર આપતા સર્વેએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. 'મૂડ ઓફ ધ નેશન' સર્વેના પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આજે ચૂંટણી થશે તો દેશમાં ફરી એકવાર બીજેપીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર બનશે. આ સર્વે તાજેતરમાં સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો જેના પરિણામો ન્યૂઝ ચેનલ પર જાહેર થયા હતા. આ મામલે ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

આજે ચૂંટણી થશે તો કોની સરકાર બને?

સર્વે અનુસાર દેશની 543 લોકસભા સીટોમાંથી 298 સીટો પર એનડીએનો કબજો છે, 153 સીટો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ અને 92 સીટો અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પાસે જશે. સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશના સૌથી મોટા રાજ્યમાં (લોકસભા બેઠકોની દૃષ્ટિએ) આજે ચૂંટણી થાય તો ભાજપને સૌથી વધુ બેઠકો મળશે. એટલે કે દેશ હોય કે દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ સર્વે મુજબ ભાજપ બંને સ્તરે ઐતિહાસિક પ્રદર્શન કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget