બિહારમાં બહુ મોટો ખેલ પડવાનો છે! ચૂંટણીને લઈને ચિરાગ પાસવાનના દાવાથી ખળભળાટ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને હોળીની ઉજવણી દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જંગી જીતનો કર્યો દાવો.

Chirag Paswan NDA victory: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. હોળીના રંગોમાં રંગાયેલા દેશ વચ્ચે, ચિરાગ પાસવાને કહ્યું કે નવેમ્બર મહિનામાં બિહારમાં 'બીજી હોળી' રમવામાં આવશે, જ્યારે રાજ્ય એનડીએના રંગમાં રંગાઈ જશે. તેમનું આ નિવેદન બિહારમાં એનડીએની જંગી જીત તરફ સંકેત કરે છે.
શુક્રવારે હોળીના તહેવાર નિમિત્તે સમગ્ર દેશ રંગોમાં ડૂબેલો હતો. નેતાઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી અને એકબીજાને રંગો લગાવ્યા. આ દરમિયાન બિહારના યુવા નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે મીડિયા દ્વારા તેમને બિહાર વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એનડીએની મોટી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચિરાગ પાસવાને હોળીના તહેવારના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, "હોળી એક એવો તહેવાર છે જ્યાં તમે બધા મતભેદો ભૂલીને એકબીજાને ખુશીઓથી ગળે લગાડો છો. આજે હું ઈચ્છું છું કે આપણે બધા મતભેદો ભૂલીને ખુશીઓ સાથે રંગો ફેલાવીએ અને બધાને ભેટીએ."
બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં બિહારમાં બીજી હોળી રમવામાં આવશે, કારણ કે તે સમયે બિહાર એનડીએના રંગમાં રંગાઈ જશે. તેમના આ નિવેદનનો અર્થ એ છે કે તેઓ બિહારમાં એનડીએની ભવ્ય જીતની આગાહી કરી રહ્યા છે. એનડીએના અન્ય નેતાઓ પણ આ વખતે બિહારમાં તેમની મોટી જીતનો દાવો કરી રહ્યા છે અને વિરોધ પક્ષ ક્યાંય ટકી શકશે નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
#WATCH | दिल्ली: केंद्रीय मंत्री चिराग पासवान ने कहा, "होली एक ऐसा त्योहार है जहां पर आप हर मतभेद भूलकर खुशियों के साथ एक-दूसरे के गले मिलते हैं... आज मैं चाहता हूं कि हम तमाम मतभेदों को भूलकर खुशियों से सभी लोगों को रंग लगाएं और सभी के गले लगें..."
— ANI_HindiNews (@AHindinews) March 14, 2025
आगामी बिहार विधानसभा चुनाव… pic.twitter.com/DD2jfW4lEw
ઉલ્લેખનીય છે કે આ પહેલા 13 માર્ચે ચિરાગ પાસવાને પટનામાં તેમની પાર્ટી એલજેપીઆરની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી હતી, જેમાં તેમની માતા પણ હાજર રહ્યા હતા. ચિરાગ પાસવાને પાર્ટીના કાર્યકરોનું મનોબળ વધારવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પાર્ટીના મહિલા મોરચાના ઘણા અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
