શોધખોળ કરો

મોદી 30 જૂન પછી દેશમાં કરશે અનલોક 2ની જાહેરાત, જાણો કઈ કઈ વધારાની છૂટછાટો મળશે ? 

અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 24 માર્ચથી લગભગ ત્રણ મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ દેશમાં ફરીથી આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને થોડા નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે એક જૂનથી અનલોક-1ની જાહેરાત કરી હતી જેમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓની છૂટ આપી હતી. કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કડક નિયમો લાગુ રહેશે. અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવા તમામ સલામતીના પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કોવિડ -19ના જે રાજ્યમાં કેસ વધારે છે ત્યાં વધારે સાવચેતી રાખવા પર ભાર મુક્યો હતો. જ્યારે જે રાજ્યમાં કેસ ઓછા થયા છે ત્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓ વધારવા પર પણ ભાર મુકાયો હતો. 30 જૂન બાદ અનલોક-2ની જાહેરાત કરવામાં આવશે ત્યારે અનલોક-2માં લોકોને ક્યા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, અનલોક-2માં લોકોના આર્થિક નુકસાનને કઇ રીતે ઓછો કરી શકાય તે દિશામાં વિચાર કરવો જોઇએ. સાથે ઘટાડેલા પ્રતિબંધોના કારણે  દેશે આર્થિક વેગ પકડ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપવા રાજ્યોએ પગલા ભરવા જ જોઇએ. તે સિવાય રાજ્યોને કોરોનાના ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રેસિંગ પર ધ્યાન આપવું જોઇએ. સ્વસ્થ દર્દીની સંખ્યામાં વધારો દેશ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત ઓછા દર્દીઓને આઇસીયૂ અને વેન્ટિલેટર પર રાખવા પડી રહ્યા છે.રાજ્યોએ વાયરસનો સામનો કરવાની ક્ષમતા વધારવા આરોગ્યની માળખાગત સુવિધાઓ, માહિતી પ્રણાલીઓ, અને લોકોની ભાગીદારી પર ભાર મુકવો જોઇએ. સાથે રાજ્યોએ આવા સંકટમાં હેલ્પલાઇન નંબરો પરથી લોકોને મદદ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. ટેલિમેડીસીન દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે મદદ કરવા વરિષ્ઠ ડોકટરો અને સ્વયંસેવકોની ટીમોની જરૂર રહેશે. ઉપરાંત લોકોને સ્વચ્છતા કેળવવા માટે જાગૃત કરવા જોઇએ. તે સિવાય લોકો માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ ખૂબ જરૂરી છે. જે રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધુ છે તે અન્ય રાજ્યો સાથે પોતાના અનુભવો શેર કરવા જોઇએ. લોકોને પણ કોરોનાને લઇને વધુ સતર્કતા રાખવા કહેવું જોઇએ. તે સિવાય તમામ નાગરિકો પોતાના ફોનમાં આરોગ્ય સેતું એપ ડાઉનલોડ ફરજિયાત કરે તે પણ ધ્યાન રાખવું જોઇએ.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચઢાવા બાદ રામમંદિરમાં વધુ એક કૌભાંડ ? ટિન્નૂએ દર મહિને કમાયા લાખો રૂપિયા, પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શરૂ થયો હતો ખેલ
ચઢાવા બાદ રામમંદિરમાં વધુ એક કૌભાંડ ? ટિન્નૂએ દર મહિને કમાયા લાખો રૂપિયા, પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શરૂ થયો હતો ખેલ
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
Weather Update: આગામી 24 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાનની ચેતવણી 
Weather Update: આગામી 24 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાનની ચેતવણી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget