શોધખોળ કરો

મોદી 30 જૂન પછી દેશમાં કરશે અનલોક 2ની જાહેરાત, જાણો કઈ કઈ વધારાની છૂટછાટો મળશે ? 

અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 24 માર્ચથી લગભગ ત્રણ મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ દેશમાં ફરીથી આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને થોડા નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે એક જૂનથી અનલોક-1ની જાહેરાત કરી હતી જેમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓની છૂટ આપી હતી. કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કડક નિયમો લાગુ રહેશે. અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવા તમામ સલામતીના પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કોવિડ -19ના જે રાજ્યમાં કેસ વધારે છે ત્યાં વધારે સાવચેતી રાખવા પર ભાર મુક્યો હતો. જ્યારે જે રાજ્યમાં કેસ ઓછા થયા છે ત્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓ વધારવા પર પણ ભાર મુકાયો હતો. 30 જૂન બાદ અનલોક-2ની જાહેરાત કરવામાં આવશે ત્યારે અનલોક-2માં લોકોને ક્યા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, અનલોક-2માં લોકોના આર્થિક નુકસાનને કઇ રીતે ઓછો કરી શકાય તે દિશામાં વિચાર કરવો જોઇએ. સાથે ઘટાડેલા પ્રતિબંધોના કારણે  દેશે આર્થિક વેગ પકડ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપવા રાજ્યોએ પગલા ભરવા જ જોઇએ. તે સિવાય રાજ્યોને કોરોનાના ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રેસિંગ પર ધ્યાન આપવું જોઇએ. સ્વસ્થ દર્દીની સંખ્યામાં વધારો દેશ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત ઓછા દર્દીઓને આઇસીયૂ અને વેન્ટિલેટર પર રાખવા પડી રહ્યા છે.રાજ્યોએ વાયરસનો સામનો કરવાની ક્ષમતા વધારવા આરોગ્યની માળખાગત સુવિધાઓ, માહિતી પ્રણાલીઓ, અને લોકોની ભાગીદારી પર ભાર મુકવો જોઇએ. સાથે રાજ્યોએ આવા સંકટમાં હેલ્પલાઇન નંબરો પરથી લોકોને મદદ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. ટેલિમેડીસીન દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે મદદ કરવા વરિષ્ઠ ડોકટરો અને સ્વયંસેવકોની ટીમોની જરૂર રહેશે. ઉપરાંત લોકોને સ્વચ્છતા કેળવવા માટે જાગૃત કરવા જોઇએ. તે સિવાય લોકો માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ ખૂબ જરૂરી છે. જે રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધુ છે તે અન્ય રાજ્યો સાથે પોતાના અનુભવો શેર કરવા જોઇએ. લોકોને પણ કોરોનાને લઇને વધુ સતર્કતા રાખવા કહેવું જોઇએ. તે સિવાય તમામ નાગરિકો પોતાના ફોનમાં આરોગ્ય સેતું એપ ડાઉનલોડ ફરજિયાત કરે તે પણ ધ્યાન રાખવું જોઇએ.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget