શોધખોળ કરો
Advertisement
UPનાં આ માજીએ નરેન્દ્ર મોદીના નામે 13 વિઘા જમીન કરી દેવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ ?
85 વર્ષીય બિટ્ટન દેવી બુધવારે મૈનપુરીમાં તાલુકા ઓફિસમાં પહોંચ્યા હતા અને એક વકીલને વડાપ્રધાન મોદીના નામ પર જમીન ટ્રાન્સફર કરવાનું કહેવા લાગ્યા હતા.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ વિદેશમાં અનેક લોકો પસંદ કરે છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 85 વર્ષના એક વૃદ્ધા પોતાની તમામ સંપત્તિ વડાપ્રધાન મોદીના નામે કરવા માંગે છે. 85 વર્ષીય બિટ્ટન દેવી બુધવારે મૈનપુરીમાં તાલુકા ઓફિસમાં પહોંચ્યા હતા અને એક વકીલને વડાપ્રધાન મોદીના નામ પર જમીન ટ્રાન્સફર કરવાનું કહેવા લાગ્યા હતા. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.
ન્યૂઝ એજન્સી PTIના મતે 85 વર્ષીય બિટ્ટન દેવી કિશની વિકાસ ખંડના ચિતાયન ગામની રહેવાસી છે. તેમની પાસે લગભગ 13 વિઘા જમીન છે. તે બુધવારે મૈનપુરી તાલુકા ઓફિસમાં વકીલ કૃષ્ણ પ્રતાપ સિંહના ચેમ્બરમાં ગયા હતા. તેમણે વકીલ સાથે વાત કરી અને પોતાની બધી જમીન વડાપ્રધાન મોદીના નામ પર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
વૃદ્ધાને ખૂબ સમજાવવામાં આવ્યા પરંતુ તે પોતાની જીદ પર અડગ રહ્યા હતા. વકીલે તેમના વિશે જાણકારી માંગી તો વૃદ્ધાએ જણાવ્યું હતુ કે તેમના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેમના બે દીકરા અને પુત્રવધૂ છે. તેમના દીકરાઓ તેમની દેખરેખ રાખતા નથી. તેઓ સરકાર તરફથી આપવામાં આવતા પેન્શન પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે તેઓ પોતાની જમીન વડાપ્રધાન મોદીને આપવા માંગે છે. બાદમાં વકીલે જિલ્લાધિકારીની સાથે વાત કરવી પડશે એમ કહીને વૃદ્ધાને ઘરે મોકલી દીધા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion