શોધખોળ કરો
ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ નોંધાયેલા કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ પાછા ખેંચાશે
લોકડાઉન હટાવ્યું ત્યારબાદ પણ આંશિક પ્રતિબંધો ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ વેપારીઓથી માંડીને સામાન્ય લોકો પર કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

લખનઉ: કોરોના વાયરસના કારણે દેશમાં કડક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું. લોકડાઉન હટાવ્યું ત્યારબાદ પણ આંશિક પ્રતિબંધો ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ વેપારીઓથી માંડીને સામાન્ય લોકો પર કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે લોકડાઉન તોડવા માટે જેટલા પણ કેસ થયા છે તે તમામ કેસ પાછા ખેંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ આવા કેસ પાછા ખેંચનાર યુપી દેશનુ પ્રથમ રાજ્ય બન્યું છે. સરકારના આ આદેશથી હજારો લોકોને રાહત થશે. યુપીના કાયદા મંત્રીએ આ માટેના નિર્દેશ પણ અધિકારીઓને આપી દીધા છે. હજારો વેપારીઓ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મજૂરો, ખેડૂતોને રાહત મળશે. તેમણે કહ્યુ હતુ કે, વેપારીઓ આ માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અને સરકારે વિચારણા બાદ આ માંગણી સ્વીકારી લીધી છે. સરકારનુ પણ માનવુ છે કે, જો આ કેસ ચાલુ રહ્યા હોત તો લોકો હેરાન થાત.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















