શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ નોંધાયેલા કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ પાછા ખેંચાશે
લોકડાઉન હટાવ્યું ત્યારબાદ પણ આંશિક પ્રતિબંધો ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ વેપારીઓથી માંડીને સામાન્ય લોકો પર કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
લખનઉ: કોરોના વાયરસના કારણે દેશમાં કડક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું. લોકડાઉન હટાવ્યું ત્યારબાદ પણ આંશિક પ્રતિબંધો ચાલુ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ વેપારીઓથી માંડીને સામાન્ય લોકો પર કોવિડ પ્રોટોકોલ ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે લોકડાઉન તોડવા માટે જેટલા પણ કેસ થયા છે તે તમામ કેસ પાછા ખેંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ આવા કેસ પાછા ખેંચનાર યુપી દેશનુ પ્રથમ રાજ્ય બન્યું છે.
સરકારના આ આદેશથી હજારો લોકોને રાહત થશે. યુપીના કાયદા મંત્રીએ આ માટેના નિર્દેશ પણ અધિકારીઓને આપી દીધા છે. હજારો વેપારીઓ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મજૂરો, ખેડૂતોને રાહત મળશે. તેમણે કહ્યુ હતુ કે, વેપારીઓ આ માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અને સરકારે વિચારણા બાદ આ માંગણી સ્વીકારી લીધી છે. સરકારનુ પણ માનવુ છે કે, જો આ કેસ ચાલુ રહ્યા હોત તો લોકો હેરાન થાત.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion