શોધખોળ કરો

Varanasi Serial Blast Case: આરોપી વલીઉલ્લાહને કોર્ટે સંભળાવી ફાંસીની સજા

Varanasi serial blasts: 16 વર્ષ પહેલા વારાણસીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહને સજાની જાહેરાત કરી છે. 16 વર્ષ પહેલા સંકટમોચન અને કેન્ટ સ્ટેશનમાં આ સીરિયલ બ્લાસ્ટ થયો હતો.

Varanasi Serial Blast Case: 16 વર્ષ પહેલા વારાણસીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહને સજાની જાહેરાત કરી છે. કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે 16 વર્ષ પહેલા સંકટમોચન અને કેન્ટ સ્ટેશનમાં આ સીરિયલ બ્લાસ્ટ થયો હતો. હકીકતમાં, 7 માર્ચ, 2006 ના રોજ, સંકટ મોચન મંદિર અને છાવની રેલ્વે સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા.

જિલ્લા વહીવટીતંત્રના વકીલ રાજેશ શર્માએ જણાવ્યું કે જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસમાં વલીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો. ચુકાદાની જાહેરાત દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મીડિયાને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડોગ સ્કવોડ દ્વારા સમયાંતરે કોર્ટ પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું.

કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન હતો

વારાણસીમાં થયેલા વિસ્ફોટ બાદ વલીઉલ્લાહ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર નહોતો. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર કેસ ગાઝિયાબાદ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ વિસ્ફોટોમાં પાંચ આતંકવાદીઓ સામેલ હતા. આ આતંકીઓમાંથી એક મૌલાના ઝુબેરને સરહદ પર સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો.

વિવાદિત નિવેદન આપનાર Nupur Sharma ની આ ખાસ વાત વિશે તમે નહીં જાણતા હો
ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ તોફાનો થયા હતા. તેની પાછળનું કારણ બીજેપી (BJP) પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) નું નિવેદન છે. મુસ્લિમ સમુદાયનો આરોપ છે કે નૂપુરે ટીવી ડિબેટમાં ધાર્મિક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આનાથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ થયા હતા. કાનપુરમાં જ્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શહેરમાં હાજર હતા ત્યારે બે સમુદાયોમાં પથ્થરમારો થયો હતો. જો કે ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. વિવાદિત નિવેદન બાદ નુપુર શર્માને અનેક ધમકીઓ પણ મળી હતી.

નૂપુર શર્માની રાજકીય કારકિર્દી
2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નુપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. નુપુર શર્મા આ સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તે 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. જ્યારે તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

નુપુર બીજેપી દિલ્હીની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય પણ હતા. જો કે આ ઘટના બાદ ભાજપમાંથી બહાર ફેંકાઈ ગયા. નૂપુર દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂકી છે. 2008માં ABVP તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નુપુર એકમાત્ર ઉમેદવાર હતી. નૂપુર શર્મા વિશે ખાસ વાત એ છે કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી નૂપુર વ્યવસાયે વકીલ પણ છે.

શું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું? 
નુપુર શર્માએ 27 મેના રોજ એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો સતત હિંદુ આસ્થાની મજાક ઉડાવી રહ્યા છે. જો આવું થાય તો તે અન્ય ધર્મોની પણ મજાક ઉડાવી શકે છે. નૂપુરે વધુમાં ઇસ્લામિક માન્યતાઓનો ઉલ્લેખ કર્યો. આ વાત મોહમ્મદ ઝુબૈર નામના યુવકે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી અને નૂપુર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. કાનપુરમાં આ અંગે પેમ્ફલેટ પણ ચોંટાડવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget