શોધખોળ કરો

Veer Savarkar Jayanti: પહેલા વીર સાવરકરને શ્રદ્ધાંજલિ પછી ભાજપ સાંભળશે વડાપ્રધાન મોદીની 'મન કી બાત'

સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.

Veer Savarkar Jayanti: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે (28 મે) છે. સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ પણ પ્રસારિત થવાનો છે. સવારે 11 વાગ્યે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ભાજપના તમામ સાંસદો સંસદ ભવનનાં બાલયોગી સભાગૃહમાં 'મન કી બાત' સાંભળશે. ભાજપના તમામ સાંસદોને સેન્ટ્રલ હોલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

'મન કી બાત' કાર્યક્રમ પછી તરત જ સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સાંસદોએ સવારે 11.45 વાગ્યા સુધીમાં પોતાની બેઠકો પર બેસી જવું પડશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરશે. તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે.

કાર્યક્રમ બપોરે 2 વાગ્યા સુધી ચાલશે

સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને તેની સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થશે.

નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો

બીજી તરફ વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સતત માંગ કરી રહી છે કે ઉદ્ઘાટન સમારોહની તારીખ બદલવામાં આવે. આ સાથે વિપક્ષના ઘણા નેતાઓ પણ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે અને સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

New Parliament Building: અધીનમ મહંતે વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ, આવતીકાલે નવા સંસદ ભવનમાં કરાશે સ્થાપિત

નવી સંસદના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો હતો. આ પરંપરાના વિસર્જન દરમિયાન 21 અધીનમ હાજર રહ્યા હતા. આ પહેલા પીએમ મોદીને સુવર્ણ અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ અધીનમથી સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.મળતી માહિતી મુજબ, રવિવારે આયોજિત નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.  અધિનમ મહંતે વડાપ્રધાન મોદીને સેંગોલ સોંપ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Stock Market: શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો
Stock Market: શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
New ATM Rules: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, QR કોડથી ઉપાડી શકાશે રૂપિયા
New ATM Rules: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, QR કોડથી ઉપાડી શકાશે રૂપિયા
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
IPL 2026 : હરાજીમાં રહ્યો અનસોલ્ડ, હવે ચમક્યું નસીબ, KKRની ટીમમાં અચાનક આ ઘાતક બોલરની એન્ટ્રી
Embed widget