US: દેશમાં અનામતના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ....'તો અમે દેશમાં તેને ખત્મ કરવા અંગે વિચારીશું'
રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે ભારત નિષ્પક્ષ દેશ બનશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અનામત ખતમ કરવાનું વિચારશે, જે અત્યારે નથી. રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી.
#WATCH | Washington, D.C, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "...Halfway through the campaign, Modi didn't think that he was near 300-400 seats...We knew when he said that I speak directly to God. We knew that there we had blown him apart...We saw it as a… pic.twitter.com/ViqVKcs5va
— ANI (@ANI) September 10, 2024
'આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે'
વાસ્તવમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે તેના જવાબમાં રાહુલ ગાંધીએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કહ્યું કે, જ્યારે ભારત નિષ્પક્ષ દેશ બનશે ત્યારે અમે અનામત ખતમ કરવા વિશે વિચારીશું અને હાલમાં ભારત નિષ્પક્ષ નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી મળી રહી નથી.
#WATCH वाशिंगटन, डी.सी., अमेरिका: लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी ने कहा, "चुनावों से पहले, हम इस विचार पर जोर देते रहे कि संस्थाओं पर कब्ज़ा कर लिया गया है... आरएसएस ने शिक्षा प्रणाली पर कब्ज़ा कर लिया है। मीडिया और जांच एजेंसियों पर कब्ज़ा कर लिया है। हम… pic.twitter.com/u8NPk6APkt
— ANI_HindiNews (@AHindinews) September 10, 2024
'ભારતના 90 ટકા લોકો ભાગીદારી કરવામાં લેવા માટે સક્ષમ નથી'
વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સમસ્યા એ છે કે ભારતના 90 ટકા લોકો ભાગીદારી કરવામાં સક્ષમ નથી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ, મને આદિવાસીનું નામ, દલિતનું નામ દેખાતું નથી અને મને તેમાં ઓબીસીનું નામ દેખાતું નથી. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. ભારતમાં ઓબીસી 50 ટકા છે પરંતુ આપણે લક્ષણોની સારવાર કરતા નથી. આ સમસ્યા છે. હવે આ (અનામત) એકમાત્ર સાધન નથી. અન્ય માધ્યમો પણ છે.
રાહુલ ગાંધીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કોઈ ટિપ્પણી કરી નથી
યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનો પ્રસ્તાવ શું છે તે જાણ્યા પછી જ તેઓ તેના પર ટિપ્પણી કરશે. તેમણે કહ્યું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ કરી રહી છે. અમે તેને જોયો નથી. અમને ખબર નથી કે તેઓ શેના વિશે વાત કરી રહ્યાં છે. અમારા માટે આ અંગે ટિપ્પણી કરવાનો અર્થ નથી. જ્યારે તેઓ તેને લાવશે ત્યારે અમે તેને જોઈશું અને તેના પર ટિપ્પણી કરીશું.
રાહુલ ગાંધીએ વિપક્ષી ગઠબંધન વિશે વાત કરી હતી
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ‘ઇન્ડિયા’ ગઠબંધનના સભ્યો વચ્ચે મતભેદો હતા પરંતુ તેઓ ઘણી બાબતો પર સહમત હતા. અમે સહમત છીએ કે ભારતનું બંધારણ સુરક્ષિત હોવું જોઈએ. આપણામાંના મોટા ભાગના લોકો જાતિની વસ્તી ગણતરીના વિચાર સાથે સહમત છે. અમે સહમત છીએ કે અદાણી અને અંબાણી નામના બે ઉદ્યોગપતિઓએ ભારતમાં દરેક વ્યવસાય ચલાવવો જોઈએ નહીં. તેથી તમારું કહેવું કે અમે સહમત નથી, મને લાગે છે કે તે ખોટું છે. બીજી બાબત એ છે કે તમામ ગઠબંધન નિશ્વિત માત્રામાં હંમેશા આગળ અને પાછળ થતા રહે છે. આ સંપૂર્ણપણે સ્વાભાવિક છે. આમાં કશું ખોટું નથી. અમે વારંવાર સરકારો ચલાવી છે જે ગઠબંધનનો ઉપયોગ કરીને સફળ રહી છે. તેથી અમને ખૂબ વિશ્વાસ છે કે અમે તે ફરીથી કરી શકીશું.