શોધખોળ કરો

Lok Sabha Election: આખરે મમતા દીદીએ અપનાવ્યું નરમ વલણ, કોંગ્રેસને બંગાળમાં આટલી સીટની કરી ઓફર

Lok Sabha Election: જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે.

Lok Sabha Election: જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. મમતા બેનર્જીએ અગાઉ બંગાળની તમામ લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફરી એકવાર કોંગ્રેસને સીટ વહેંચણીની ઓફર કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીએ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં બે બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરી છે. તે જ સમયે, મેઘાલય અને આસામમાં ટીએમસી એક-એક સીટ પર ચૂંટણી લડશે. જો કે મેઘાલયની તુરા સીટને લઈને બંને પક્ષો વચ્ચે મામલો અટવાયેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ આ સીટ ટીએમસીને આપવાનો ઈન્કાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે TMC વાસ્તવમાં મેઘાલયની તુરા સીટની માંગ કરી રહી છે. આ માટે તે 2019ની ચૂંટણીને ટાંકી રહી છે, જ્યાં 2019માં આ સીટ પર કોંગ્રેસની વોટ ટકાવારી 9 ટકા, BJPની 13 ટકા, TMCની 28 ટકા અને MMPની 40 ટકા હતી. તે મુજબ ટીએમસીનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસે આ સીટ પર ચૂંટણી લડવી જોઈએ.

'બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાનું કર્યું હતું નક્કી'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન માટે આને મોટો ફટકો માનવામાં આવે છે. બેનર્જીએ આ નિર્ણય એવા સમયે લીધો હતો જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં પ્રવેશવાની હતી. તે સમયે એવી પણ ચર્ચા હતી કે મમતા બેનર્જીએ કોંગ્રેસને બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી બે પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ કોંગ્રેસે તેને ફગાવી દીધો હતી.

 લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, મહારાષ્ટ્રમાં શીટ વહેંચણીને લઈને વાટાઘાટો ચાલી રહી હોય તેવું લાગે છે. આ દરમિયાન, મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે 38 બેઠકો પર સમજૂતી થઈ છે, પરંતુ મુદ્દો 9 બેઠકો પર અટવાયેલો છે.

રાહુલ ગાંધીએ MVA નેતાઓ સાથે વાત કરી

આ વાત એવા સમયે પ્રકાશમાં આવી રહી છે જ્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રણેય નેતાઓ વચ્ચે શીટ વહેંચણીના મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકોની વહેંચણીને લઈને 27મી ફેબ્રુઆરીએ મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠક છે. એમવીએના નેતાઓ 28મી ફેબ્રુઆરી સુધીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસ-શિવસેના (UBT)ને કેટલી સીટો જોઈએ છે?

સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કોંગ્રેસ મુંબઈમાં લોકસભાની 6માંથી 3 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. આ ત્રણ બેઠકો મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ દક્ષિણ મધ્ય છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે મુંબઈ શિવસેના (UBT) કઈ ચાર લોકસભા બેઠકો ઈચ્છે છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે, "MVA ગઠબંધન મજબૂત છે અને મહત્તમ બેઠકો જીતવા માટે દરેક એક થઈને કામ કરશે. તેમણે કહ્યું કે પ્રકાશ આંબેડકર, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત ચાલી રહી છે." દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. 80 લોકસભા સીટો ધરાવતા યુપીમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે.

તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા આપી છે. એટલે કે આમ આદમી પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટો માંગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસની એક સીટની માંગને કારણે હજુ સુધી ગઠબંધન અને આ મહત્વની બેઠકને લઈને જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget