ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામેની જીતને પાકિસ્તાનના મંત્રીએ ગણાવી ઈસ્લામની જીત, ઓવૈસીએ શું આપ્યો જડબાતોડ જવાબ ?
શેખ રાશિદના નિવેદન પર ગુસ્સે થયેલા ઓવૈસી માત્ર આટલેથી જ ન અટક્યા, પરંતુ તેમણે કહ્યું કે આપણા પૂર્વજો દેશના ભાગલા પછી પાકિસ્તાન ન ગયા તે માટે આભારની વાત છે.
![ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામેની જીતને પાકિસ્તાનના મંત્રીએ ગણાવી ઈસ્લામની જીત, ઓવૈસીએ શું આપ્યો જડબાતોડ જવાબ ? Which minister of Pakistan did Owaisi told stupid ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામેની જીતને પાકિસ્તાનના મંત્રીએ ગણાવી ઈસ્લામની જીત, ઓવૈસીએ શું આપ્યો જડબાતોડ જવાબ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/7200cdf53337ef34387eb81294540457_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુઝફ્ફરનગરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેણે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના મંત્રી શેખ રાશિદના તે નિવેદન પર આકરી ટિપ્પણી કરી હતી જેમાં તેણે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. પોતાના નિવેદન પર ગુસ્સે ભરાયેલા ઓવૈસીએ કહ્યું કે પાડોશી દેશની ઈમરાન ખાન સરકારના મંત્રી કહે છે કે T20 વર્લ્ડ કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત ઈસ્લામની જીત હતી. તેણે પૂછ્યું કે ઇસ્લામ ક્રિકેટ મેચમાં શું કરશે? તેમણે બુધવારે યુપીના મુઝફ્ફરનગરમાં આયોજિત રેલીમાં આ વાત કહી.
શેખ રાશિદના નિવેદન પર ગુસ્સે થયેલા ઓવૈસી માત્ર આટલેથી જ ન અટક્યા, પરંતુ તેમણે કહ્યું કે આપણા પૂર્વજો દેશના ભાગલા પછી પાકિસ્તાન ન ગયા તે માટે આભારની વાત છે. જો આવું થયું હોત તો આપણે પણ આ મૂર્ખાઓને જોવા પડત. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની મેચમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારત પાકિસ્તાન સામે દસ વિકેટે હારી ગયું. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની મેચના વખાણ કર્યા અને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીના નિવેદનના સોશિયલ મીડિયામાં પણ ખૂબ વખાણ થયા હતા. ભારત હવે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે.
તમને જણાવી દઈએ કે ઓવૈસી ભૂતકાળમાં ઘણી વખત પાકિસ્તાન પર નિશાન સાધી ચૂક્યા છે. તેણે શરૂઆતમાં ટી20 મેચ માટે ભારત સરકારની ટીકા પણ કરી હતી. તેઓ હકમાં નહોતા કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ મેચ રમવી જોઈએ, જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સતત આતંક ફેલાવી રહ્યું છે. હૈદરાબાદમાં એક રેલીમાં તેમણે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે એક તરફ પાકિસ્તાન આપણા દેશમાં આપણા લોકોને મારી રહ્યું છે અને અમે તેમની સાથે મેચ રમવા જઈ રહ્યા છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)