શોધખોળ કરો

ભારતમાં 47 લાખ લોકોનાં કોરોનાથી મોત થયાનો WHOનો દાવો, આરોગ્ય મંત્રાલયે કહ્યું - આંકડા ખોટા છે...

WHO on Covid Death: ભારતે કોરોનાથી થયેલા મોતની ગણતરી કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)દ્વારા ઉપયોગમાં લેવાતા ગાણિતિક મોડેલને નકારી કાઢ્યું છે.

India Government Calls It Questionable: ભારતે કોરોનાથી થયેલા મોતની ગણતરી કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)દ્વારા ઉપયોગમાં લેવાતા ગાણિતિક મોડેલને નકારી કાઢ્યું છે. ભારતે કહ્યું છે કે, આ આંકડો વાસ્તવિક આંકડાઓથી સંપૂર્ણપણે અલગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOના ખંડનમાં કહ્યું છે કે, ભારત દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. આરોગ્ય મંત્રાલયે WHOની ડેટા કલેક્શન સિસ્ટમને આંકડાકીય રીતે અયોગ્ય અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ ગણાવી છે.

WHOએ કેટલાં મોત ગણ્યાં?
આ પહેલાં WHOએ ભારતમાં જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે કોરોનાથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા હતા. WHOના આંકડા મુજબ જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં 47 લાખ લોકોનાં કોવિડથી મોત થયા છે. WHOએ જાહેર કરેલ આ આંકડો ભારતના સત્તાવાર કોરોના મોતના આંકડા કરતાં 10 ગણો વધુ અને વૈશ્વિક સ્તરે થયેલા મોતનો ત્રીજો ભાગ છે. આ આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં કોવિડને કારણે કુલ 1.5 કરોડ લોકોનાં મોત થયા છે. અને WHOના આ કુલ મોતનો આંકડો કોરોનાથી થયેલા મોતના સત્તાવાર આંકડા 60 લાખ મોત કરતાં બમણાથી વધુ છે.

ભારતનો આ છે આંકડોઃ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ સમય (જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે) માં કોવિડને કારણે 520,000 લોકોના મોત નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, WHOએ જે કહ્યું છે કે મોતના આ આંકડા મીડિયા રિપોર્ટ્સ, વેબસાઈટ અને ગાણિતિક મોડલ દ્વારા ભારતીય રાજ્યોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે તેની સામે ભારતે WHOના એ નિવેદન પર સતત સવાલો ઉઠાવ્યા છે.

WHOની સિસ્ટમ ખરાબ છેઃ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના કેસમાં ઉચ્ચ મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે ડેટા એકત્ર કરવાની સિસ્ટમ ખૂબ જ નબળી અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ પદ્ધતિ દર્શાવે છે. મંત્રાલયે કહ્યું કે, આ મોડલ પર ભારતનો વાંધો હોવા છતાં, ડબ્લ્યુએચઓએ ભારતના વાંધાઓ પર ધ્યાન આપ્યા વિના આ અંદાજ જાહેર કર્યો છે.

આ છે WHOનું અનુમાનઃ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અંદાજ મુજબ છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અથવા આરોગ્ય પ્રણાલી પર તેની અસરોને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર આ 6 મિલિયન મૃત્યુ કરતાં બમણા કરતાં વધુ છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે.

ભારતે આ પણ જણાવ્યુંઃ
ભારતે WHO ને એ પણ જણાવ્યું હતું કે, ભારત માટે વધારાના મૃત્યુના આંકડાઓ મેળવવા માટે ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાય છે, ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને જોતાં આવું ન કરવું જોઈએ. ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણી અત્યંત મજબૂત છે અને તે દાયકાઓ જૂના વૈધાનિક કાયદાકીય માળખા "જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969" દ્વારા સંચાલિત છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, નાગરિક નોંધણી ડેટા તેમજ RGI દ્વારા વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતા નમૂના નોંધણી ડેટાનો ઉપયોગ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
Embed widget