શોધખોળ કરો

General Knowledge: 552 લોકસભા બેઠકો પરંતુ ચૂંટણી ફક્ત 543 પર જ કેમ! જાણો આ પાછળનું સત્ય

General Knowledge: ભારતીય બંધારણ મુજબ લોકસભામાં વધુમાં વધુ 552 બેઠકો હોઈ શકે છે, પરંતુ ચૂંટણી ફક્ત 543 બેઠકો પર જ કેમ થાય છે? ચાલો જાણીએ આ પાછળનું કારણ અને આવું કેમ થાય છે.

General Knowledge: જેમ આપણા દેશમાં અલગ અલગ બાબતો માટે કાયદા છે, તેવી જ રીતે લોકસભા બેઠકોના વિતરણ માટે પણ કેટલાક નિયમો છે. રાજ્યની વસ્તી જેટલી વધુ હશે, તેટલી વધુ બેઠકો મળશે. ભારતીય બંધારણ મુજબ, લોકસભામાં મહત્તમ 552 બેઠકો હોઈ શકે છે, પરંતુ ચૂંટણીઓ ફક્ત 543 બેઠકો પર જ કેમ યોજાઈ છે? છેલ્લા કેટલાક વર્ષોમાં, નવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ લોકસભામાં ફક્ત 543 બેઠકો છે, આવું કેમ છે? ચાલો જાણીએ આ પાછળનું સત્ય.

લોકસભામાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે?

ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને લોકસભા તેનું નીચલું ગૃહ છે. જે દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 81 મુજબ, લોકસભામાં મહત્તમ 552 સભ્યો હોઈ શકે છે. આમાંથી, 530 બેઠકો રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 20 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનામત છે. આ ઉપરાંત, બે બેઠકો એંગ્લો-ઇન્ડિયન સમુદાય માટે નામાંકન દ્વારા ભરી શકાય છે.

ચૂંટણી ફક્ત 543 બેઠકો પર જ કેમ થાય છે?

પરંતુ, હવે પ્રશ્ન એ છે કે જો બંધારણમાં 552 બેઠકોની જોગવાઈ છે, તો તે 543 બેઠકો પર કેમ અટકી ગઈ? તો ચાલો તમને જણાવી દઈએ કે 1952માં પહેલી લોકસભામાં 497 બેઠકો હતી. નવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના થતાં બેઠકોની સંખ્યા વધતી ગઈ. 1956માં બંધારણીય સુધારા પછી, કેન્દ્રશાસિત પ્રદેશો માટે 20 બેઠકો ઉમેરવામાં આવી. જેનાથી મહત્તમ મર્યાદા 520 થઈ ગઈ. પછી, 1976 સુધીમાં, બેઠકો વધીને 545થઈ ગઈ, જેમાં 543 ચૂંટાયેલી અને 2 નામાંકિત (એંગ્લો-ઇન્ડિયન) બેઠકોનો સમાવેશ થતો હતો.

બેઠકોમાં વધારાની શક્યતા

1976માં, સીમાંકન પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે 2001 સુધી અમલમાં રહ્યો. 91મા બંધારણીય સુધારા હેઠળ, આ પ્રતિબંધ 2026 સુધી લંબાવવામાં આવ્યો. આનો અર્થ એ થયો કે 2026 સુધી, લોકસભાની બેઠકો ફક્ત 543 જ રહેશે. પરંતુ, 2026 ના સીમાંકન પછી, એવી શક્યતા છે કે લોકસભા બેઠકોની સંખ્યા વધી શકે છે. તમને જણાવી દઈએ કે વસ્તીના આધારે લોકસભા બેઠકોની સંખ્યાને સમાયોજિત કરવાની પ્રક્રિયાને સીમાંકન કહેવામાં આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે સીમાંકન પછી, 2029 માં લોકસભા ચૂંટણી 543 ને બદલે 750 બેઠકો માટે યોજાઈ શકે છે. જો કે, સાચો આંક તો સિમાંકન બાદ જ સામે આવશે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget