![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP News: યોગી સરકારે સેફ સિટી બનાવવા માટે લગાવ્યા 5 હજાર સીસીટીવી કેમેરા, આ 16 શહેરોથી થઇ શરૂઆત
મુખ્યમંત્રીની આ મંશાને જોતા ઉત્તર પ્રદેશના 16 શહેરોમાં તમામ વિભાગો અને યોજનાઓ અંતર્ગત 5000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે
![UP News: યોગી સરકારે સેફ સિટી બનાવવા માટે લગાવ્યા 5 હજાર સીસીટીવી કેમેરા, આ 16 શહેરોથી થઇ શરૂઆત yogi adityanath government installed 5000 cctv cameras in 16 cities in up UP News: યોગી સરકારે સેફ સિટી બનાવવા માટે લગાવ્યા 5 હજાર સીસીટીવી કેમેરા, આ 16 શહેરોથી થઇ શરૂઆત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/0ba6e49f3e7aba97096cf9f055a122a21670589293992208_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના તમામ નગરોને સુરક્ષિત શહેર બનાવવાની મંશાથી રાજ્ય સરકારે સુબાના 16 નગરોમાં 5 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સાથે જ એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ પ્રણાલીની નગર અને રાજ્ય સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકારના એક પ્રવક્તાએ બુધવારે બતાવ્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આજકાલ દરેક પુબુદ્ધજન સંમેલનમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રને ટ્રાફિક સાથે જોડવા અને શહેરોને ‘સેફ સિટી’ બનાવવાની યોજના પર જરૂર વાત કરી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે અમારા શહેરો આજે સ્માર્ટની સાથે સાથે સુરક્ષિત પણ છે. જો કોઇ અપરાધી એક ચોરા પર કોઇ ઘટનાને અંજામ આપે છે , તો બીજા ચોરા પર પોલીસ તેને ઠાર કરી દેશે.
આ શહેરોમાં લાગ્યા છે કેમેરા -
મુખ્યમંત્રીની આ મંશાને જોતા ઉત્તર પ્રદેશના 16 શહેરોમાં તમામ વિભાગો અને યોજનાઓ અંતર્ગત 5000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રવક્તાએ આગળ બતાવ્યુ કે કેમેરા દરેક ચોરા, મુખ્ય માર્ગો, એક્સપ્રેસ વે અને રેલવે તથા મેટ્રૉ સ્ટેશન પર લોકોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે.
જ્યાં કેન્દ્ર તરફથી કાનપુર, લખનઉ, આગરા, વારાણસી, પ્રયાગરાજ, અલીગઢ, બરેલી, ઝાંસી, સહારનપુર, અને મુરાદાબાદ જેવા શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં મદદ મળી છે. વળી, અયોધ્યા, મથુરા, વૃંદાનવ, ફિરોજાબાદ, મેરઠ, શાહજહાંપુર, ગોરખપુર, અને ગાઝિયાબાદમાં રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે, કેમેરા લગાવવામાં પ્રાઇવેટ કંપનીઓને પણ સહયોગ લેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર સીએમ યોગીનો ક્રેઝ
ટ્વિટર પર સીએમ યોગીના ફોલોઅર્સની સંખ્યા વધીને 2 કરોડ 25 લાખ થઈ ગઈ છે. સીએમ યોગી ટ્વિટર પર રાહુલ ગાંધી કરતાં વધુ લોકપ્રિય છે. તેમણે ફોલોઅર્સની બાબતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ઉત્તર પ્રદેશના મુખ્ય વિપક્ષી નેતા અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતીને માત આપી છે. પ્રિયંકા ગાંધી ટ્વિટર પર સીએમ યોગી કરતા ઘણા પાછળ છે. પ્રિયંકા ગાંધીના ટ્વિટર પર 51 લાખથી વધુ ફોલોઅર્સ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટર પર 2 કરોડ 20 લાખ ફોલોઅર્સ છે. ટ્વિટરના લોકપ્રિય અખિલેશ યાદવ ત્રીજા નંબર પર છે. તેના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડ 76 લાખ છે. BSP ચીફ માયાવતી ટ્વિટર પર ફોલોઅર્સની બાબતમાં સૌથી પાછળ છે. માયાવતીના ટ્વિટર પર 29 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)