શોધખોળ કરો

Karnataka Cabinet Expansion: કર્ણાટકમાં સિદ્ધારમૈયા કેબિનેટનું વિસ્તરણ, આ નવા મંત્રીઓએ લીધા શપથ, 2024 સાથે કનેકશન

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા નામોમાં જ્ઞાતિના સમીકરણોથી લઈને પ્રાદેશિક પસંદગીઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસનો ગેમ પ્લાન માત્ર કર્ણાટક પૂરતો મર્યાદિત નથી.

Karnataka Cabinet Expansion: કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા નામોમાં જ્ઞાતિના સમીકરણોથી લઈને પ્રાદેશિક પસંદગીઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસનો ગેમ પ્લાન માત્ર કર્ણાટક પૂરતો મર્યાદિત નથી.

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણનો શપથ ગ્રહણ સમારોહ શનિવારે (27 મે) થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ એચકે પાટીલ, કૃષ્ણા બાયરે ગૌડાએ કર્ણાટકના મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 22 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા.

કર્ણાટકના કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસે અત્યારથી જ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જારી કરાયેલા નામોમાં જ્ઞાતિના સમીકરણોથી લઈને પ્રાદેશિક પસંદગીઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનો ગેમ પ્લાન માત્ર કર્ણાટક પૂરતો મર્યાદિત નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટના વિસ્તરણ દ્વારા કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં પડોશી રાજ્યોમાં પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવા માટે કમર કસી રહી છે.

શપથ લેનાર 24 મંત્રીઓની યાદી

કર્ણાટક કોંગ્રેસના 24 ધારાસભ્યોએ શપથ લેવડાવ્યા હતા. આ નેતાઓમાં દિનેશ ગુંદુરાવ, શરણબસપ્પા દર્શનાપુર, એચ.કે. પાટીલ, ક્રિષ્ના બાયરે ગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, શિવાનંદ પાટીલ, તિમ્માપુર રામાપ્પા બલપ્પા, એસએસ મલ્લિકાર્જુન, તંગડગી શિવરાજ સંગાપ્પા, ડૉ એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, શરન્ના રુદ્રે, કે. પાટીલ, સંતોષ એસ લાડ, એનએસ બોઝ રાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, ડો એમસી સુધાકર, માંકલ વૈદ્ય, લક્ષ્મી આર હેબ્બલકર, રહીમ ખાન, ડી સુધાકર અને બી નાગેન્દ્રનો સમાવેશ થાય છે.

કઈ જ્ઞાતિમાંથી કેટલા મંત્રીઓ?

નામધારી રેડ્ડી સમુદાયમાંથી એક, વોક્કાલિગા સમુદાયમાંથી ચાર, અનુસૂચિત જાતિ (જમણે)માંથી એક, બંજીગા વીરશૈવ લિંગાયત સમુદાયમાંથી એક, અનુસૂચિત જનજાતિમાંથી બે, બ્રાહ્મણ સમુદાયમાંથી એક, રેડ્ડી લિંગાયત સમુદાયમાંથી એક, પંચમશાલી લિંગાયત સમુદાયમાંથી બે, SC એક (ડાબે), સદર લિંગાયત સમુદાયમાંથી એક, એસસી ભોવી સમુદાયમાંથી એક, આદિ બંજીગા લિંગાયત સમુદાયમાંથી એક, મોગવીરા (પછાત વર્ગ)માંથી એક, મુસ્લિમ સમુદાયમાંથી એક, જૈન સમુદાયમાંથી એક, મરાઠા (પછાત વર્ગ)માંથી એક રાજુ (પછાત વર્ગ), કુરુબા (પછાત વર્ગ)માંથી એક, એડીગા (પછાત વર્ગ)માંથી એકને મંત્રી બનાવવામાં આવ્યા છે.

હરિયાણાનાં CM 4 કલાક સુધી પોતાના જ ઘરમાં રહ્યાં બંધ, જાણો શું છે સમગ્ર ઘટના

 

હરિયાણા:આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે.

હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં  જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને ઉપ તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા આહીર ગામના લોકોને થતાં જ તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્યમંત્રીના ઘેરાવની જાહેરાત કરી હતી. ગામના લોકોએ કહ્યું કે તેમનું ગામ ડોગડા આહીર સિંહ કરતાં મોટું છે, તેથી તેને પણ ઉપ તાલુકાનો દરજ્જો આપવો જોઇએ. સીએમ ખટ્ટર ડોગડા આહીર ગામમાં જ રોકાયા હતા. ગ્રામજનોએ રાત્રે જ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સીએમ જ્યાં રોકાયા હતા ત્યાં આખું ગામ એકત્ર થઈ ગયું.  આ સ્થિતિમાં સીએમ ખટ્ટરને લગભગ 4 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.

જ્યારે  તે વિસ્તારના ધારાસભ્યો ગ્રામજનોને સમજાવવા આવ્યા તો તેઓએ પણ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભ્યો નિરાશ થઈને પરત ફર્યા હતા. વિરોધ જોઈને મુખ્યમંત્રી મનોહર લાલાએ ડોગડા આહીરના લોકોને વાતચીત માટે બોલાવ્યા. જેમાં તેમણે ઉપ-તાલુકા માટેના ગામોના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ એટલી વિધાનસભામાં જનસંવાદનો કાર્યક્રમ હશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget