શોધખોળ કરો

LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

સાબરકાંઠાના ઉમેદવારને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ છે. ત્યારે આંતરિક લાવારસને શાંત પાડવા CM ખુદ સક્રિય થયા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે બેઠક બોલાવાઈ છે

LIVE

Key Events
LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

14:51 PM (IST)  •  30 Mar 2024

અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર

 એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો  છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં  પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે  પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના  પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. જો કે  આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.

12:43 PM (IST)  •  30 Mar 2024

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદથી નારાજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત  રાજીનામુ આપ્યુ છે.પરષોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં ક્ષત્રિય મહિલા આગેવાન પણ મેદાને આવી છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગણી કરી રહી છે. તો બીજી તરફ આ તમામ વિવાદ વિરોધના વંટોળ વચ્ચે પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું, રાજ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે.  

11:32 AM (IST)  •  30 Mar 2024

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર થઇ ગયું છે.  ભાજપની ટિકિટ મળતા જ શોભનાબેને પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે સ્વૈચ્છિક નિવૃતી માટે   અરજી કરી હતી. 23 માર્ચે કરેલી અરજીને મંજૂરી મળી ગઇ છે. આ અરજી ગ્રાહ્ય રાખવામાં આવતા શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર થઇ ગયું છે.  

11:31 AM (IST)  •  30 Mar 2024

જયરાજસિંહના પડકારને પદ્મિનીબાએ કર્યો સ્વીકાર

જયરાજસિંહના પડકારને પદ્મિનીબાએ  સ્વીકાર કર્યો છે., તે જ્યાં હોય ત્યાં મળવા આવવાનો પડકાર ફેંક્યો છે. તેમણે વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે કહ્યું કે  શું રાજકીય લેવલે ગુનો કરવાનો હક્ છે? સમાજની બહેનો આક્રોશિત છે, તેમને ન્યાય મળવો જોઈએ, પદ્મિની બાએ કહ્યું હતું કે, આ કોઇ રાજકિય મુદ્દો નથી જયરાજસિંહ એકલા આ મુદ્દે  નિર્ણય ન લઇ શકે

11:28 AM (IST)  •  30 Mar 2024

જયરાજસિંહના એકના નિવેદનથી ન થઈ શકે સમાધાન: પદ્મિની બા

રૂપાલા સામેના વિવાદના સમાધાન મુદ્દે રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. તેમના આ મુદ્દે સખત વિરોધનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, જયરાજસિંહના એકના નિવેદનથી ન થઈ શકે સમાધાન, જયરાજસિંહ ન શેકે રાજકીય રોટલા.. રૂપાલાની ઉમેદવારી રદ કરવા PM મોદીને પદ્મિનીબાએ   અપીલ કરી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.