શોધખોળ કરો

મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી સ્કૂલો, 1 ઓક્ટોબરથી કોલેજો શરૂ કરી દેશે ? શિક્ષણ મંત્રી પોખરીયાલે કરી આ જાહેરાત ?

મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખશે એવો દાવો વોટ્સએપ પર ફરી રહેલા એક મેસેજમાં કરાઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, 1 ઓક્ટોબરથી તમામ કોલેજોમાં પણ ક્લાસ શરૂ થઈ જશે.

આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી. મોદી સરકારે અનલોક 4ની જે ગાઈડલાઈન બહાર પાડી છે તે પ્રમાણે ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે સ્કૂલે જઈ શકે છે પણ 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલ-કોલેજો ખોલી નાંખવાની વાત સાવ ખોટી છે.

આ વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 માટે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. તેના પંદર દિવસ પછી ધોરણ 6થી ધોરણ 8 સુધીના ક્લાસ શરૂ કરાશે. એ પછી પંદર દિવસ પછી ધોરણ 1થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરાશે. આ દાવાને મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ખોટો ગણાવ્યો છે.

આ પહેલાં પણ  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી  સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા હતા

મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી કાઢી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ
PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget