શોધખોળ કરો

Russia Ukraine War : રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું, NATOએ માની લેવું જોઇએ કે, તે રશિયાથી ડરે છે એટલે જ નથી કરતુ યુક્રેનનો સ્વીકાર

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે અને યુક્રેનના મોટાભાગના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે

Russia Ukraine War:રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે અને યુક્રેનના મોટાભાગના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. લોકો પોતાનો જીવ બચાવીને પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. બીજી તરફ રશિયાના હુમલા પર અમેરિકા ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને સતત તીખા નિવેદનો આપી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્લાદિમીર પુતિનને 'યુદ્ધ ગુનેગાર' કહ્યા હતા. અમેરિકાએ  રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે.

આ યુદ્ધને કારણે બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો કે યુક્રેનની સરખામણીમાં રશિયા ખૂબ જ શક્તિશાળી દેશ છે, પરંતુ તે પણ ઘણું નુકાસન વેઠી રહ્યો છે.  મોસ્કોની એક વેબસાઈટનો દાવો છે કે આ યુદ્ધમાં 10 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, 2 માર્ચે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુદ્ધમાં તેના 500 સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો હતો કે 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે અમેરિકાએ 7 હજાર મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો.

ભારત આ સમગ્ર સંકટ દરમિયાન તટસ્થ રહ્યું છે. જો કે તે સ્પષ્ટ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધગ્રસ્ત દેશ (યુક્રેન)માં સંઘર્ષનો અંત લાવવા માટે અપીલ કરવા માટે તેમના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યું છે.

જેલેસ્કીએ NATO પર કર્યા પ્રહાર, જાણો શું આપ્યું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ એક મહિના જેટલો સમય થવા આવ્ચો  છે અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટર સસ્પિલેન સાથેની મુલાકાતમાં કહ્યું, "નાટોએ હવે કહેવું જોઈએ કે તે અમને સ્વીકારી રહ્યું છે કે નહી, નાટો પણ  રશિયાથી ડરે છે, જે સાચું છે."

બાઇડને અમેરિકી કંપનીને રશિયાના સાઇબર હુમલાની આપી ચેતાવણી

રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકન કંપનીઓને ચેતવણી આપી છે કે, રશિયા તેમના પર ગમે ત્યારે સાયબર હુમલો કરી શકે છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે, જો કંપનીઓએ સાયબર હુમલાઓથી બચવા માટે પહેલાથી જ પર્યાપ્ત પગલાં લીધાં નથી, તેમને હું આ અગમચેતીના પગલા લેવી માટે અનુરોઘ કરૂ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
Embed widget