![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રોજગાર મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, કહ્યું- અમૃતકાળમાં નોકરીઓ કેમ થઈ રહી છે ગાયબ?
Employment Issue: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પીએસયુ સેક્ટરમાં રોજગારીની તકોના અભાવ અંગે ટ્વિટ કર્યું છે.
![રોજગાર મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, કહ્યું- અમૃતકાળમાં નોકરીઓ કેમ થઈ રહી છે ગાયબ? Rahul Gandhi's attack on the central government on the issue of employment, said- Why are jobs disappearing in immortality? રોજગાર મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, કહ્યું- અમૃતકાળમાં નોકરીઓ કેમ થઈ રહી છે ગાયબ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/18/6d543afe7fe8f80516dc554a005db0431687068005671723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi On Employment: કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે પીએસયુ સેક્ટરમાં રોજગારીની તકોના અભાવ અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે સરકાર પર દેશમાં રોજગાર ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.
पीएसयू भारत की शान हुआ करते थे और रोज़गार के लिए हर युवा का सपना हुआ करते थे। मगर, आज ये सरकार की प्राथमिकता नहीं हैं।
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2023
देश के पीएसयू में रोज़गार, 2014 में 16.9 लाख से कम हो कर 2022 में मात्र 14.6 लाख रह गए हैं। क्या एक प्रगतिशील देश में रोज़गार घटते हैं?
BSNL में 1,81,127…
અમૃતકાળમાં નોકરીઓ કેમ થઈ રહી છે ગાયબ: રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "PSU એ ભારતની શાન હતું અને રોજગાર માટે દરેક યુવાનોનું સપનું હતું. પરંતુ આજે તે સરકારની પ્રાથમિકતા નથી. દેશના PSUsમાં રોજગાર 2014માં 16.9 લાખથી ઘટીને 2022માં માત્ર 14.6 લાખ થઈ. શું પ્રગતિશીલ દેશમાં નોકરીઓ ઘટે છે?" તેમણે આગળ લખ્યું, "BSNLમાં 1,81,127 નોકરીઓ ગુમાવી, SAILમાં 61,928, MTNLમાં 34,997, SECLમાં 29,140, FCIમાં 28,063, ONGCમાં 21,120 નોકરીઓ. દર વર્ષે 2 કરોડ નોકરીના ખોટા વચનો આપનારે નોકરીઓ વધારવાને બદલે 2 લાખથી વધુ નોકરીઓ ખતમ કરી દીધી.
BJP’s politics of hatred has burnt Manipur for over 40 days leaving more than a hundred people dead.
— Rahul Gandhi (@RahulGandhi) June 15, 2023
The PM has failed India and is completely silent.
An all-party delegation must be sent to the state to end this cycle of violence & restore peace.
Let’s shut this ‘Nafrat ka…
રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિપુર હિંસા પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, "ભાજપની નફરતની રાજનીતિએ મણિપુરને 40 દિવસથી વધુ સમય સુધી સળગતું રાખ્યું, જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા." પીએમ ભારતને નિષ્ફળ કરી ચૂક્યા છે અને સંપૂર્ણપણે મૌન છે. હિંસાના આ ચક્રને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ." રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે આવો આ નફરતના બજારને બંધ કરીએ અને મણિપુરના દરેક દિલમાં મહોબ્બતની દુકાન ખોલીએ..
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)