શોધખોળ કરો

Poonch Terror Attack: ઇફતાર પાર્ટીનો સામાન લઇને પરત ફરતી ટ્રક પર આંતકી હુમલો, પૂંછના લોકો નહિ મનાવે ઇદ

પૂંછમાં સેનાની ટ્રક પર હુમલો કરવામાં આવ્યો, તે ઈફ્તારનો સામાન લઈને પરત ફરી રહી હતી. તે જ દિવસે સાંજે એક ગામમાં ઈફ્તાર પાર્ટી યોજાવાની હતી. આ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

Poonch Terror Attack: પૂંછમાં સેનાની ટ્રક પર હુમલો કરવામાં આવ્યો, તે ઈફ્તારનો સામાન લઈને પરત ફરી રહી હતી. તે જ દિવસે સાંજે એક ગામમાં ઈફ્તાર પાર્ટી યોજાવાની હતી. આ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે (20 એપ્રિલ) આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હવે આ માહિતી સામે આવી છે કે જ્યારે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સેનાના જવાનો પૂંછના એક ગામમાં યોજાનારી ઈફ્તાર પાર્ટી માટે ટ્રકમાં ફળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં ઉપવાસીઓની સાથે તે ગામના પંચ અને સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના જવાનોએ 20 એપ્રિલની સાંજે સાંગોટ વિસ્તારમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આવી ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. આ ઘટનાને લઈને આતંકીઓ ગુસ્સામાં હતા. એવા પણ અહેવાલ છે કે આતંકવાદીઓએ ઈફ્તાર પાર્ટીથી નારાજ થઈને જ આ હુમલાની યોજના બનાવી હતી.

ગ્રામજનોએ ઈદ મનાવવાનો ઈન્કાર કર્યો

ઈફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગામના લોકો ખૂબ જ દુઃખી છે. જવાનોના મોતના શોકમાં જોડાતા ગામના લોકોએ આ વખતે ઈદ ન મનાવવાનો નિર્ણય કર્યો છે.વાસ્તવમાં આતંકવાદીઓને સૌથી મોટો ડર એ છે કે, લોકો સેનાને પોતાનો મિત્ર ન ગણે. જો આવું થાય, તો તેઓ લોકોને ઉશ્કેરી શકશે નહીં.

આ જ કારણ છે કે આતંકવાદીઓને સેના સાથે લોકોનું જોડાણ પસંદ નથી. સેના સાથે વાતચીત કરનારા લોકોને આતંકવાદીઓ શંકાની નજરે જુએ છે. સાંગોટમાં યોજાનારી ઈફ્તાર પાર્ટીની માહિતી મળતાં જ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે સેનાની ટ્રક ઈફ્તારની સામાન લઈને કેમ્પમાં પરત ફરી રહી હતી ત્યારે ઓચિંતો હુમલો કરીને બેઠેલા આતંકવાદીઓએ વાહનને નિશાન બનાવ્યું હતું. પહેલા ગોળીઓ ચલાવવામાં આવી, પછી આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.

જેમાં 5 જવાનો શહીદ થયા હતા

આ હુમલામાં પાંચ RR જવાન હવાલદાર મનદીપ સિંહ, હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી સેવક સિંહ અને લાન્સ નાઈક દેબાશીશ બસવાલ શહીદ થયા હતા. એક જવાન ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર સેનાની હોસ્પિટલમાં ચાલી રહી છે. હુમલા બાદ સુરક્ષાદળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.

હુમલાની જવાબદારી PAFF નામના આતંકવાદી સંગઠને લીધી છે. PAFF પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું છે, જે જમ્મુ-કાશ્મીરમાં ઘટનાર અનેક  આતંકી ઘટનાઓમાં સામેલ હોય  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા  3 શંકાસ્પદોની અટકાયત
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
Advertisement

વિડિઓઝ

Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Gujarat Farmers News: રાજ્યમાં આજથી 97 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા  3 શંકાસ્પદોની અટકાયત
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Medicine Risks: લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીરમાં ઘટી શકે છે જરુરી વિટામિન્સ, ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો
Medicine Risks: લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીરમાં ઘટી શકે છે જરુરી વિટામિન્સ, ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો
આજે પણ આ મંદિરમાં છે ભારતના એક સંતની 900 વર્ષ જૂની Mummy! બહુ જ રહસ્યમયી છે કહાની
આજે પણ આ મંદિરમાં છે ભારતના એક સંતની 900 વર્ષ જૂની Mummy! બહુ જ રહસ્યમયી છે કહાની
Embed widget