શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા કયા મોટા શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો શું શું રહેશે બંધ

કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રોજ કોરનાના કેસનો આંકડો નવી ટોચ બનાવી રહ્યો છે. આ દરમિયાન કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

અમરેલીઃ  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને લઈને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. સાવરકુંડલાના મોટા ભામોદરા ગામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા સંક્રમણને સ્વયંભૂ દુકાનો બંધ રાખી કોવિડના નિયમોનું પાલન રાખવા નિર્ણય કરાયો છે.  લીલીયામાં ડાયમંડ યુનિટો 10 દિવસ સુધી બંધ રહેશે.

જૂનાગઢઃ વિસાવદરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ સજ્જડ બંધ રહેશે.  જૂનાગઢમાં સંક્રમણ અટકાવવા માટે યાર્ડ  ચેરમેન કિરીટ પટેલ દ્વારા 16 થી 18 બે દિવસ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

રાજકોટઃ કોરોનાના કહેર વધતા ગ્રામ્ય વિસ્તારો જાગૃત થયા છે. કોલીથડ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા 24 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.

જેતપુરઃ 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક જનતા કરફ્યુ કરવા અપીલ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે.

ભાવનગરઃ તળાજામાં વધતા કેસ ને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી આગેવાનોએ રાત્રી ના ૮થી સવાર ના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉન ૧૩ તારીખ થી એક સપ્તાહ સુધી નક્કી કરેલ છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

ગોંડલઃ ગોંડલ તાલુકા અનિડા ગામમાં 10 દિવસનું આંશિક લોકડાઉન છે. બહારના શ્રમિકોને ગામમાં ન આવવા અને ગામના શ્રમિકોને બહાર ન જવા અપીલ કરાઈ છે. ગામમાં રાત્રે 6થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.

દ્વારકાઃ દ્વારકા જિલ્લાના કુલ 14 ગામોએ લોકડાઉન લગાવ્યું છે. વિરમદળ અને વજત્ર ગામમાં 21 એપ્રિલ સુધી બપોર બાદ જીવન જરૂરિ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

જસદણઃ વિરનગર ગ્રામ પંચાયતએ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં કોરોનાના કેસ વધતા દુકાનો સવારે 6 થી 10 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી જ ખુલી રહેશે. જો કોઈ વેપારીઓ ગામમાં પંચાયત ના નિર્ણયનો ભંગ કરશે તો 1151 રૂપિયા દંડ ભરવો પડશે.

જામનગરઃ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જે બાદ ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય કરાયો છે. ફલ્લા ગામમં પણ એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય  કરવામા આવ્યો છે.

બોટાદ: રાણપુર ગામ પચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ બે દિવસ માટે લોકડાઉની જાહેરાત કરવામાં આવી છે . રાણપુરમાં આજુબાજુ ના 40 થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે. તેથી કોરોનાની ચેન તોડવા આ ફેંસલો કરાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget