શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

કોળી સમાજની નરેશ પટેલ સાથે યોજાઈ બેઠક, જાણો શું કરાયો મોટો નિર્ણય

આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે.

રાજકોટ: રાજકોટ ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામના નરેશ પટેલે  જણાવ્યું હતું કે  માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ બેયને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે, ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહવાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે. 

રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, ખૂબ સારી બેઠક રહી, ખાસ કરીને નરેશભાઈએ મા ખોડલના દર્શન કરવા આમંત્રણ આપ્યું જેને લઇને હું અને ગુજરાત માંધાતા ગ્રુપના તમામ હોદ્દેદારો આનંદ અનુભવે છે. આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ચર્ચાઓ થઈ છે. ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ પાટીદાર અને કોળી સમાજ છે. ત્યારે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. નરેશભાઈ સાથે જે અમારી ચર્ચા થઈ તેમાં સમાજના ઉત્થાન માટેની વાતો કરવામાં આવી હતી. શિક્ષણ, રોજગારી અને ખાસ કરીને ગુજરાતમાં ખોડલધામ મંદિર બન્યું એવું અમારે પણ કોળી સમાજનું ભવ્ય અને દિવ્ય મંદિર બને તેની ચર્ચા કરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget