શોધખોળ કરો

રાજકોટમાં માસૂમની હત્યાનો ઉકેલાયો ભેદ, માતાએ જ બે વર્ષના બાળકને કૂવામાં ફેંકી કરી હતી હત્યા

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી મહિલાના પતિને શંકા હતી કે બાળક તેના પ્રેમીનું છે

રાજકોટમાં માતાએ માસૂમની હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટના થોરાળામાં બે વર્ષના માસૂમની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી દીધો હતો. થોરાળા પોલીસે હત્યાના આરોપમાં ભાવના ઉર્ફે ભાવુ નામની મૃતક બાળકની માતાની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી મહિલાના પતિને શંકા હતી કે બાળક તેના પ્રેમીનું છે. બસ આ જ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિએ બાળક પ્રેમીને આપી આવવાનું કહેતા આરોપી માતાએ માસૂમ બાળકને કુવામાં ફેંકીને હત્યા કરી નાંખી હતી. બાદમાં પતિએ બાળકની હત્યા કરી હોવાની પણ પોલીસને જણાવી હતી. જો કે પોલીસની આકરી પૂછપરછમાં આરોપી માતાનો પાપનો ભાંડો ફૂટી ગયો હતો.  

નોંધનીય છે કે રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરીના રોજ કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી.

મૃતક બાળકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અપીલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને મૃતક બાળક બાબતેની કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. જે દરમિયાન રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ભાવના ઉર્ફે ભાવુ પોતાના પરિવારજનો સાથે આવ્યા હતા. તેમજ પોતાના ભાણેજ રાયધનની હત્યા તેના જ પિતા દ્વારા કરવામાં આવી હોવાનું તેમજ લાશને કોઈ જગ્યાએ ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાને જાણ થતાં થોરાળા પોલીસે રણછોડ ભરવાડને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

પૂછપરછમાં રણછોડે બાળકને લઈ પોતાની પત્ની સાથે માથાકૂટ અવારનવાર થતી હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ રણછોડે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પોતાને શંકા હતી કે બાળક પોતાનું નહીં પરંતુ તેની પત્નીના પ્રેમીનું છે. જેથી ફેબ્રુઆરી મહિનામાં પોતાની પત્ની પોતાના માવતરેથી પરત આવી હતી. ત્યારે રણછોડે પોતાની પત્નીને કહ્યું હતું કે, બાળક જેનું છે તેને આપતી આવજે ત્યારબાદ જ ઘરે આવજે. તેવું કહેતા પત્નીએ રસ્તામાં જ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં બાળકને ફેંકી દઈ તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ભાવનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણીએ પોતે જ પોતાના બાળકને કુવામાં ફેંકી દઈ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવનાના પ્રેમી સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget