![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot: ભાજપના ટોચના નેતાના 20 વર્ષના ફેક્ટરી માલિક પુત્રે કરી લીધો આપઘાત, પત્નિ પિયર ગઈ હતી ને.......
વિશાલ પરિણીત હતો અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પુત્રીને લઇ પિયર ગયા હોવાથી વિશાલ રૂમમાં એકલો હતો. આજે સવારે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વિશાલે ક્યાં કારણોસર આપઘાત જેવું આત્યંતિક પગલું ભર્યુ તેનાથી પરિવારજનો અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે.
![Rajkot: ભાજપના ટોચના નેતાના 20 વર્ષના ફેક્ટરી માલિક પુત્રે કરી લીધો આપઘાત, પત્નિ પિયર ગઈ હતી ને....... Rajkot BJP leader's son and business man suicide , police start inquiry Rajkot: ભાજપના ટોચના નેતાના 20 વર્ષના ફેક્ટરી માલિક પુત્રે કરી લીધો આપઘાત, પત્નિ પિયર ગઈ હતી ને.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/09/9e2c771cfc9bde0de99ffc99b2622544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટમાં બનેલી એક દુખઃદ ઘટનામાં ભાજપ (BJP)ના અગ્રણીના બિઝનેસમેન પુત્રે આપઘાત કરી લીધો છે. ભાજપ કોર્પોરેટર (BJP councilor)નો પુત્ર પોતાની ફેક્ટરી ચલાવતો હતો અને બિઝનેસ કરતો હતો. ભાજપ નેતાન ફેક્ટરી માલિક પુત્રે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં ખળભળાટ મચ્યો છે.
તાજેતરમાં જ યોજાયેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Corporation)ની ચૂંટણીમાં વોર્ડ 11માંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા વિનુભાઇ સોરઠિયાના 20 વર્ષીય પુત્ર વિશાલે ગુરૂવારે સવારે ગળાફાંસો ખાઇ લીધો હતો. મવડી વિસ્તારમાં આવેલા મવડી વિસ્તારમાં આવેલી શ્રીપાર્ક સોસાયટીમાં રહેતા અને યુવાન પુત્ર વિશાલે કેમ આપઘાત કરી લીધો તે અંગે પરિવારે અજાણ હોવાનું જણાવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મવડી વિસ્તારમાં આવેલા શ્રીપાર્ક સોસાયટીમાં આપઘાતનો પ્રયાસ કરાયો હોવાના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જો કે 108 ટીમની તપાસમાં વિશાલનું મોત નિપજ્યાનું બહાર આવક, તાલુકા પોલીસને જાણ કરી હતી.
1085 દ્વારા જાણ કરાંતા હેડ કોન્સ્ટેબલ એચ.જી.રાઠોડ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, વિશાલ સોરઠિયાએ સવારે આઠેક વાગ્યાના અરસામાં રૂમના બાથરૂમમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોની પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે બે ભાઇ, એક બહેનમાં નાનો વિશાલ મવડી વિસ્તારમાં કારખાનું ધરાવતો હતો.
વિશાલ પરિણીત હતો અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પુત્રીને લઇ પિયર ગયા હોવાથી વિશાલ રૂમમાં એકલો હતો. આજે સવારે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વિશાલે ક્યાં કારણોસર આપઘાત જેવું આત્યંતિક પગલું ભર્યુ તેનાથી પરિવારજનો અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વિશાલના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)