Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ થયા દોડતા
Rajkot: ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો મેદાને આવ્યા હતા

ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો મેદાને આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આર્યમાન રેસીડેન્સીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના રોષને જોતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ દોડતા થયા હતા. વોર્ડ નં12માં પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદીપ ડવ સ્થાનિકો સાથે વાત કરવા પહોંચ્યા હતા. લોકો રસ્તા પર ઉતરતા જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ લોકોની સમક્ષ પહોચ્યા હતા. દૂષિત પાણીને લઈ મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. અનેક વખત રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો. રાજકોટના વોર્ડ નંબર-12માં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યો છે.
રાજકોટના વોર્ડ નંબર 17માં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે ઘનશ્યામસિંહ જાડેજાનું નામ કાપતા વિરોધ કરાયો હતો. હસનવાડી વિસ્તારમાં લોકો બેનરો સાથે એકત્ર થયા છે. જો ટિકિટ નહીં આપે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી.
થલતેજનું ઓક્સિજન પાર્ક વેન્ટિલેટર પર
અમદાવાદમાં થલતેજમાં 2022માં બનાવાયેલા ઓક્સિજન પાર્ક હાલ વેન્ટિલેટર પર છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની બેદરકારીથી અનેક વૃક્ષો સૂકાઈ ગયા હતા. કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વૃક્ષોને પાણી આપવાની કોઈ વ્યવસ્થા નહીં. 88 હજાર વૃક્ષો વાવ્યા હતા, પણ આજે વૃક્ષના લાકડાનો બળતણ માટે ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. AMC કોઈપણ પ્રોજેક્ટ મોટાપાયે શરૂ તો કરી દે છે પરંતુ જાળવણીના નામે મીડું હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. બિલ્ડરોએ ઓક્સિજન પાર્કમાંથી ગેરકાયદે પાણીના કનેક્શન પણ લઈ લીધા હોવાનો ખુલાસો થયો હતો. ફરીથી પાર્કની યોગ્ય જાળવણી થાય તેવી સ્થાનિકોની માંગ કરી હતી.
ચૂંટણી પહેલા મોરબીમાં પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. મુકેશ ગામીની ફરી કોંગ્રેસમાં ઘરવાપસી થઈ હતી. તેઓ 2023માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી હતી.






















