શોધખોળ કરો

Rajkot Ration Scam: રાજકોટમાં રેશનકાર્ડ પર ગરીબ લોકોને સડેલું અનાજ આપ્યું, ભાજપના જ સાંસદ અને ધારાસભ્યએ ફરિયાદ કરતા તંત્રમાં દોડધામ

Rajkot Ration Scam: રાજકોટના રેશનકાર્ડ ધારકોને મળતા અનાજની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

Rajkot Ration Scam: રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને મળતા સડેલા અનાજ (ખાસ કરીને ધનેડા પડી ગયેલા ઘઉં) અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા અગાઉ ફરિયાદ કરાયા બાદ, હવે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે પણ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ફરિયાદ સંકલન બેઠકમાં તેમણે આ અંગે રજૂઆત કરી હતી. પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં ખરાબ અનાજ વિતરણ થતું હોવાની આશંકા છે. આ મામલે કલેક્ટરે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ચેકિંગ કરવા અને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. રેશનિંગના વેપારીઓનું કહેવું છે કે ખરાબ અનાજ FCI માંથી સરકારી ગોડાઉન મારફતે આવે છે અને આના માટે મુખ્યત્વે જીલ્લા ગોડાઉન મામલતદાર (DSM) ની અનાજ ચેક કરવાની જવાબદારી છે. વેપારી મંડળનો દાવો છે કે ખરાબ અનાજ મોકલવામાં તેમનો કોઈ રોલ નથી.

રેશનિંગ અનાજની ગુણવત્તા પર સવાલો: ધારાસભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત

રાજકોટના રેશનકાર્ડ ધારકોને મળતા અનાજની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને મળતા અનાજમાં ધનેડા પડી ગયા હોય તેવા ઘઉંના વિડિયો પણ સામે આવ્યા છે, જેના કારણે તેમની દિવાળીની તૈયારીઓ બગડી છે.

અગાઉ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ મુદ્દે ફરિયાદ કરી હતી, અને હવે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે પણ આ મામલો હાથ પર લીધો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત સંકલન બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા કલેક્ટરને સીધી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં રેશનકાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. તેમણે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવાની માંગ કરી હતી.

સડેલા અનાજના સોર્સ પર સવાલ અને તપાસના આદેશ

ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધાં છે. કલેક્ટરે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરને આ વિસ્તારોમાં ઘનિષ્ઠ ચેકિંગ કરવા અને સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. આ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ખરાબ અનાજ અંગેની ફરિયાદ બાદ વેપારીઓએ તેને સગેવગે કરી નાખ્યું હોઈ શકે છે.

અનાજની ગુણવત્તા અંગેના સવાલોના કેન્દ્રમાં તેની સપ્લાય ચેઇન છે. વેપારી મંડળના જણાવ્યા મુજબ, રેશનિંગ માટેનું અનાજ FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) માંથી સરકારી ગોડાઉનમાં આવે છે. વેપારીઓનો દાવો છે કે જો અનાજ ખરાબ હોય તો તે નિગમ જ મોકલે છે, અને આમાં તેમનો કોઈ રોલ નથી. જોકે, નિયમ મુજબ જીલ્લા ગોડાઉન મામલતદાર (DSM) ની જવાબદારી છે કે અનાજ ગોડાઉનમાંથી વિતરણ માટે નીકળે તે પહેલા તેની ગુણવત્તા યોગ્ય રીતે ચેક કરવામાં આવે. ખરાબ અને ઓછા અનાજ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે, ત્યારે આ નવા આદેશો બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
Embed widget