શોધખોળ કરો

Rajkot Ration Scam: રાજકોટમાં રેશનકાર્ડ પર ગરીબ લોકોને સડેલું અનાજ આપ્યું, ભાજપના જ સાંસદ અને ધારાસભ્યએ ફરિયાદ કરતા તંત્રમાં દોડધામ

Rajkot Ration Scam: રાજકોટના રેશનકાર્ડ ધારકોને મળતા અનાજની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

Rajkot Ration Scam: રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને મળતા સડેલા અનાજ (ખાસ કરીને ધનેડા પડી ગયેલા ઘઉં) અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા અગાઉ ફરિયાદ કરાયા બાદ, હવે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે પણ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ફરિયાદ સંકલન બેઠકમાં તેમણે આ અંગે રજૂઆત કરી હતી. પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં ખરાબ અનાજ વિતરણ થતું હોવાની આશંકા છે. આ મામલે કલેક્ટરે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ચેકિંગ કરવા અને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. રેશનિંગના વેપારીઓનું કહેવું છે કે ખરાબ અનાજ FCI માંથી સરકારી ગોડાઉન મારફતે આવે છે અને આના માટે મુખ્યત્વે જીલ્લા ગોડાઉન મામલતદાર (DSM) ની અનાજ ચેક કરવાની જવાબદારી છે. વેપારી મંડળનો દાવો છે કે ખરાબ અનાજ મોકલવામાં તેમનો કોઈ રોલ નથી.

રેશનિંગ અનાજની ગુણવત્તા પર સવાલો: ધારાસભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત

રાજકોટના રેશનકાર્ડ ધારકોને મળતા અનાજની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને મળતા અનાજમાં ધનેડા પડી ગયા હોય તેવા ઘઉંના વિડિયો પણ સામે આવ્યા છે, જેના કારણે તેમની દિવાળીની તૈયારીઓ બગડી છે.

અગાઉ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ મુદ્દે ફરિયાદ કરી હતી, અને હવે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે પણ આ મામલો હાથ પર લીધો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત સંકલન બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા કલેક્ટરને સીધી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં રેશનકાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. તેમણે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવાની માંગ કરી હતી.

સડેલા અનાજના સોર્સ પર સવાલ અને તપાસના આદેશ

ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધાં છે. કલેક્ટરે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરને આ વિસ્તારોમાં ઘનિષ્ઠ ચેકિંગ કરવા અને સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. આ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે ખરાબ અનાજ અંગેની ફરિયાદ બાદ વેપારીઓએ તેને સગેવગે કરી નાખ્યું હોઈ શકે છે.

અનાજની ગુણવત્તા અંગેના સવાલોના કેન્દ્રમાં તેની સપ્લાય ચેઇન છે. વેપારી મંડળના જણાવ્યા મુજબ, રેશનિંગ માટેનું અનાજ FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) માંથી સરકારી ગોડાઉનમાં આવે છે. વેપારીઓનો દાવો છે કે જો અનાજ ખરાબ હોય તો તે નિગમ જ મોકલે છે, અને આમાં તેમનો કોઈ રોલ નથી. જોકે, નિયમ મુજબ જીલ્લા ગોડાઉન મામલતદાર (DSM) ની જવાબદારી છે કે અનાજ ગોડાઉનમાંથી વિતરણ માટે નીકળે તે પહેલા તેની ગુણવત્તા યોગ્ય રીતે ચેક કરવામાં આવે. ખરાબ અને ઓછા અનાજ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે, ત્યારે આ નવા આદેશો બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
Embed widget