શોધખોળ કરો

Saurashtra University Examinations: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરુ થશે પરીક્ષાઓ, અંદાજે 65 હજાર વિદ્યાર્થી આપશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.

કોરોનાની મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પરીક્ષા લેવા અંગે અટકળો ચાલતી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટી અને કોલેજોના યુજી સેમ-1 થી 4ના વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું. જો કે, યુજીના છેલ્લા સેમ અને પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની અસમંજસ વચ્ચે રાજ્યભરમાં ઓનલાઈન પરીક્ષા લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. જો કે હવે કેસો ઘટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએથી નિર્ણય આવ્યા બાદ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ નક્કી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેઠાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના ખૂબ જ ઓછા કેસ આવી રહ્યાં છે. ત્યારે હવે ઓફલાઈન પરીક્ષા લેવાનું સંભવ બન્યું છે. આ માટે રાજ્ય સરકાર પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ઓફલાઈન પરીક્ષાની મંજૂરી મળી જાય તેને ધ્યાનમાં લઈ અમે ઓફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી છે.

આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓને 8 જુલાઈથી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓ 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. બન્ને મળી કુલ 65000થી વધુ પરીક્ષાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુજી સેમ-6 અને પીજી સેમ-2-4 તેમજ  એક્ષટર્નલ વિદ્યાર્થીઓ પણ આમાં પરીક્ષા આપશે. એક કલાસમાં 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પણ પુરતું ધ્યાન દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવી છે. પરીક્ષાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી અને ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર કરવા સુધીનું તમામ પ્લાનીંગ થઈ ચૂક્યું છે. હવે સરકારના આદેશ બાદ આ ઓફલાઈન પરીક્ષા લેવા માટે અમે ટૂંક સમયમાં જ ટાઈમ ટેબલ જાહેર કરશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget