શોધખોળ કરો

Saurashtra University Examinations: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરુ થશે પરીક્ષાઓ, અંદાજે 65 હજાર વિદ્યાર્થી આપશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.

કોરોનાની મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પરીક્ષા લેવા અંગે અટકળો ચાલતી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટી અને કોલેજોના યુજી સેમ-1 થી 4ના વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું. જો કે, યુજીના છેલ્લા સેમ અને પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની અસમંજસ વચ્ચે રાજ્યભરમાં ઓનલાઈન પરીક્ષા લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. જો કે હવે કેસો ઘટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએથી નિર્ણય આવ્યા બાદ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ નક્કી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેઠાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના ખૂબ જ ઓછા કેસ આવી રહ્યાં છે. ત્યારે હવે ઓફલાઈન પરીક્ષા લેવાનું સંભવ બન્યું છે. આ માટે રાજ્ય સરકાર પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ઓફલાઈન પરીક્ષાની મંજૂરી મળી જાય તેને ધ્યાનમાં લઈ અમે ઓફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી છે.

આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓને 8 જુલાઈથી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓ 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. બન્ને મળી કુલ 65000થી વધુ પરીક્ષાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુજી સેમ-6 અને પીજી સેમ-2-4 તેમજ  એક્ષટર્નલ વિદ્યાર્થીઓ પણ આમાં પરીક્ષા આપશે. એક કલાસમાં 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પણ પુરતું ધ્યાન દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવી છે. પરીક્ષાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી અને ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર કરવા સુધીનું તમામ પ્લાનીંગ થઈ ચૂક્યું છે. હવે સરકારના આદેશ બાદ આ ઓફલાઈન પરીક્ષા લેવા માટે અમે ટૂંક સમયમાં જ ટાઈમ ટેબલ જાહેર કરશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Embed widget