![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતના આ સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાતાં લાકડાં ખૂટી પડ્યાં, ટ્રસ્ટીઓએ કરવી પડી લાકડાંનું દાન કરવાની અપીલ......
હવે સુરતના કડોદરા સ્મશાન ભૂમિમાં લાકડા પુરા થવાની તૈયારી છે. સામાન્ય દિવસોમાં રોજના એક કે બે મૃતદેહ આવતા હતા. હાલની પરિસ્થિતિમાં રોજના 20 થી 25 મૃતદેહો આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 135થી વધુ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા છે. ટ્રસ્ટી મંડળે લોકોને લાકડા દાન કરવા અપીલ કરી છે.
![સુરતના આ સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાતાં લાકડાં ખૂટી પડ્યાં, ટ્રસ્ટીઓએ કરવી પડી લાકડાંનું દાન કરવાની અપીલ...... Gujarat Corona update : Kadodara smashan shortage of woods of Agnisanskar સુરતના આ સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાતાં લાકડાં ખૂટી પડ્યાં, ટ્રસ્ટીઓએ કરવી પડી લાકડાંનું દાન કરવાની અપીલ......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/14/feb00eedfb91debb79ffb940d0fe2500_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાત(Gujarat)માં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને મોતનો આંકડો 5 હજાર નજીક પહોંચી ગયો છે. સુરત(Surat)માં પણ કોરોના મહામારીમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેને કારણે સ્મશાનોમાં લાશોનો ઢગ ખડાકાયા છે. તેમજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ છે. હવે સુરતના કડોદરા સ્મશાન ભૂમિ (Kadodara Smashan)માં લાકડા પુરા થવાની તૈયારી છે.
સામાન્ય દિવસોમાં રોજના એક કે બે મૃતદેહ આવતા હતા. હાલની પરિસ્થિતિમાં રોજના 20 થી 25 મૃતદેહો આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 135થી વધુ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા છે. ટ્રસ્ટી મંડળે લોકોને લાકડા દાન કરવા અપીલ કરી છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
59,972 |
476 |
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)