શોધખોળ કરો

Tirnga Padyatra: વિધાનસભાની ચૂંટણી પહેલા PAASનું શક્તિ પ્રદર્શન, આજે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિઝ સંગઠનો પણ એક્ટિવ થયા છે. હવે PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિઝ સંગઠનો પણ એક્ટિવ થયા છે. હવે PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં પ્રારંભ કર્યો છે. આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. 

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે. 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવાયો હતો. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ​તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો યાત્રામાં જોડાશે.

પીએમ મોદીના પ્રવાસને લઇ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો અને સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ સાથે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદી આવતીકાલે 28 ઓગસ્ટે સવારે ભુજ પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસકર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના ભુજ પ્રવાસને લઈને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ભુજમાં થ્રી લેયર સુરક્ષા 
વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી  છે. PMની સુરક્ષાને લઈ પશ્ચિમ કચ્છના SP સાથે abp અસ્મિતાની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, SRP, ચેતક કમાન્ડો પણ સુરક્ષામાં તેહનાત કરવામાં આવ્યાં છે. 

ડ્રોન દ્વારા રોડ શો અને સ્મૃતિ વનના કાર્યક્રમ ઉપર  બાઝ નજર રાખવામાં આવશે. ભુજમાં PM રહેશે  ત્યાં સુધી દરિયામાં પણ કોસ્ટગાર્ડનું સતત  પેટ્રોલિંગ રહેશે. સુરક્ષા માટે કરાશે ઉપયોગ બાઈનોક્યુલર અને નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. PMની સુરક્ષામાં પોલીસનું અશ્વદળ પણ તહેનાત રહેશે અને આ સાથે 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે. 

ભુજમાં પીએમ મોદીનો કાર્યક્રમ 
પીએમ મોદી ભુજમાં સવારે 10 કલાકે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. 

વડાપ્રધાન ભુજ જિલ્લામાં મેમોરિયલ વાન મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જે 2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લોકોના નામ ધરાવે છે.

વડાપ્રધાન ભુજમાં આશરે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનું ઉદ્ઘાટન કરશે. આ કેનાલ કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને દસ શહેરોને સિંચાઈની સુવિધા અને પીવાનું પાણી પૂરું પાડવામાં મદદ કરશે.

વડાપ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાલ સ્મારક, નખ્તરાના 2 સબસ્ટેશન વગેરે સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન ભુજ-ભીમાસર રોડ સહિત રૂ. 1500 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
Embed widget