![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Panchmahal : યુવકની હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?
ગોધરાના હયાતની વાડી વિસ્તારના રહેવાસી મોહમ્મદ હનીફ બદામ નામના ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતકના શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે.
![Panchmahal : યુવકની હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા? Panchmahal : A youngster murder in Godhara, dead body found Panchmahal : યુવકની હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/02/cfa9a0fc2ba69bebd42a3be8d12760aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પંચમહાલ : ગોધરા તાલુકાના બેટીયા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલ યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગોધરાના હયાતની વાડી વિસ્તારના રહેવાસી મોહમ્મદ હનીફ બદામ નામના ઇસમની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતકના શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા છે.
યુવક ગઈ કાલ સાંજના સમયથી ગુમ થયો હતો. યુવક ગુમ થયો હોવાને લઈને તેની ભાળ મેળવવા માટે પરિજનોએ સોશિયલ મીડિયાની પણ મદદ લીધી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકની કોણે અને કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી હત્યાનું કારણ જાણવા મળી શકે છે.
અન્ય એક ઘટનામાં, સુરતના લીંબાયતમાં 3 શખ્સોએ યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ હત્યા કેસમાં પ્રેમપ્રકરણ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી લીધી છે. વિધવા માતા સાથે રહેતા મૂળ નવસારીના યુવાનની હત્યા કરવામાં આવી છે.
લિંબાયતના મારુતિનગરમાં ધર્મેશ (ઉં.વ.24)ની હત્યા થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ધર્મેશ ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. માતાના કલ્પાંતથી પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં.
મૃતકની માતા સંગીતાબેન ઈશ્વરભાઈ બોરડે વિધવા છે, જ્યારે તેમનો દીકરો કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ તમામ જવાબદારી ધર્મેશે ઉપાડી લીધી હતી. ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. ગુરુવારે રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યો હતો.
તેમણે રાતે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. આ સમયે તેણે આવું જ છું, તેમ કહ્યું હતું. જોકે, રાતે 10.30 વાગ્યે દીકરા પર હુમલો થયો હોવાના સમાચાર મળતા તેમના હોશ ઉડી ગયા હતા. એટલું જ નહીં, દીકરાની હત્યા થયાનું જણાતા જ તેઓ ભાંગી પડ્યા હતા અને કલ્પાંત કરી મૂક્યો હતો. જેને કારણે પોસ્ટ રૂમ બહાર કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)