શોધખોળ કરો
વડોદરાઃ વાઘોડીયા ચોકડી બ્રિજ પર ટ્રેલર-ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત, 17 ઇજાગ્રસ્ત
સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
![વડોદરાઃ વાઘોડીયા ચોકડી બ્રિજ પર ટ્રેલર-ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત, 17 ઇજાગ્રસ્ત Vadodara: 9 killed, 17 injured in tractor-tempo accident on Vaghodia Chokdi Bridge વડોદરાઃ વાઘોડીયા ચોકડી બ્રિજ પર ટ્રેલર-ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત, 17 ઇજાગ્રસ્ત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/18134602/accident.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ વડોદરાના વાઘોડીયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ડેમાં 9 યાત્રીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે.
આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પોલીસ, ક્લેક્ટર, SDM સહિતના અધિકારીઓ હાજર છે. સાથે જ SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)