શોધખોળ કરો

Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર

Bangladesh: જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરન્ટ વગર ધરપકડ કરશે.

Bangladesh: બાંગ્લાદેશમાં સરકાર બદલાઈ ત્યારથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધીમાં 300 હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. 49 હિંદુ શિક્ષકોને અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હિંદુઓની નરસંહાર કરનારા આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને હવે દુર્ગા પૂજા પંડાલમાં અઝાન દરમિયાન હિંદુઓને પૂજા કરતા પણ રોકવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે હવેથી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો માટે અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર પૂજા કરવા અને ભજન સાંભળવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરન્ટ વગર ધરપકડ કરશે.

સરકારનું એમ પણ કહેવું છે કે આ નિર્ણયને તે તમામ સમિતિઓએ અનુસરવું પડશે જે બાંગ્લાદેશમાં આવતા મહિને 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે દુર્ગા પૂજા પંડાલ સ્થાપશે. આ તમામ પંડાલમાં અઝાનના પાંચ મિનિટ પહેલા તમામ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ બંધ કરવી ફરજિયાત રહેશે અને અઝાન દરમિયાન અને નમાઝના સમયે લાઉડ સ્પીકર પર ભજન સાંભળવા અથવા ધાર્મિક મંત્રો ગાવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

એટલે કે, જ્યારે મુસ્લિમ પ્રભુત્વવાળા બાંગ્લાદેશમાં અઝાન માટે મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે હિન્દુઓ તેમની ધાર્મિક વિધિઓ અને પૂજા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે અને મુસ્લિમો બહુમતીમાં છે.

આ લઘુમતી હિંદુઓના માનવાધિકારની વાત કરનાર દુનિયામાં કોઇ નથી. જેઓ ભારતમાં લઘુમતી મુસ્લિમો જોખમમાં હોવાની વાતો કરે છે પરંતુ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પરના હુમલાઓને તેઓ પ્રોપેગેન્ડા ગણાવે છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં જ્યારે પશ્ચિમ બંગાળમાં મોહરમના સરઘસના દિવસે જ દુર્ગા વિસર્જનનું આયોજન થવાનું હતું ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો હતો કે પહેલા મોહરમ સરઘસ કાઢવામાં આવશે અને ત્યારબાદ બીજા દિવસે દુર્ગા વિસર્જન કરવામાં આવશે. પરંતુ બાંગ્લાદેશમાં જ્યાં મુસ્લિમ બહુમતી છે અને હિંદુઓ લઘુમતી છે, ત્યાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે મુસ્લિમો તેમની મસ્જિદોમાંથી અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશે ત્યારે હિન્દુઓ તેમના દુર્ગા પંડાલમાં પૂજા કરી શકશે નહીં.

ગત વર્ષે બાંગ્લાદેશમાં નવરાત્રિ દરમિયાન કુલ 33 હજાર 431 'દુર્ગા પંડાલો'ની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આ વખતે આ પંડાલોની સંખ્યા 32 હજાર અથવા તેનાથી ઓછી હોઈ શકે છે અને ઘણા હિંદુઓ હવે નવરાત્રિ દરમિયાન દુર્ગા પંડાલો લગાવતા ડરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget