શોધખોળ કરો

Bangladesh Government Crisis LIVE: શેખ હસીના હિંડન એરબેઝના સેફ હાઉસમાં હાજર, PMના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પૂરી થઈ

Bangladesh Government Crisis LIVE: બાંગ્લાદેશની તાજી સ્થિતિ પર હાલમાં ભારત સરકારની ચાંપતી નજર છે. સાવચેતીના પગલાં તરીકે ભારત તરફથી સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.

LIVE

Key Events
Bangladesh Government Crisis LIVE: શેખ હસીના હિંડન એરબેઝના સેફ હાઉસમાં હાજર, PMના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પૂરી થઈ

Background

Bangladesh Government Crisis LIVE: બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને વિદ્યાર્થી આંદોલન સંગઠન દ્વારા જાહેર કરાયેલા "અસહકાર" આંદોલનના પ્રથમ દિવસે રવિવારે (4 ઓગસ્ટ, 2024) ઓછામાં ઓછા 91 લોકોના મોત થયા. હાલમાં મૃતકોની સંખ્યા 97 થઈ ગઈ છે. તાજેતરની હિંસક અથડામણોમાં સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ જ કારણે સાવચેતીના પગલાં રૂપે ગૃહ મંત્રાલયે સાંજે 6 વાગ્યાથી દેશમાં અનિશ્ચિત મુદતનો કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો.

આ દરમિયાન, સરકારી એજન્સીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ 'ફેસબુક', 'મેસેન્જર', 'વોટ્સએપ' અને 'ઇન્સ્ટાગ્રામ' બંધ કરવાનો આદેશ આપ્યો છે. અખબારે જણાવ્યું કે મોબાઇલ પ્રોવાઇડર્સને 4G ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન હસીનાએ કહ્યું કે વિરોધના નામે બાંગ્લાદેશમાં તોડફોડ કરનારા લોકો વિદ્યાર્થીઓ નહીં, પરંતુ આતંકવાદીઓ છે અને તેમણે જનતાને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવાનું કહ્યું. તેમણે કહ્યું, "હું દેશવાસીઓને અપીલ કરું છું કે આ આતંકવાદીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરે."

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અથડામણમાં અવામી લીગના છ નેતાઓ અને કાર્યકરોની માર મારીને હત્યા કરવામાં આવી અને અન્ય ઘણા ઘાયલ થયા. રાજધાનીમાં પ્રદર્શનકારીઓ ઢાકા મેડિકલ કોલેજમાંથી ચાર લોકોના મૃતદેહ લઈને ગયા. સરકારી નોકરીઓમાં અનામત વ્યવસ્થાના મુદ્દે થયેલા હોબાળાને લઈને સરકારના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ રવિવારે 'સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન'ના બેનર હેઠળ આયોજિત 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા પહોંચ્યા. અવામી લીગ, છાત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને પછી બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ.

ભારતે રવિવાર રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પડોશી દેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને 'અત્યંત સાવચેતી' રાખવા અને તેમની અવરજવર મર્યાદિત રાખવાની સલાહ આપી. ભારતે નવી એડવાઇઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુલાકાત ન લેવા જણાવ્યું છે.

23:21 PM (IST)  •  05 Aug 2024

Bangladesh Government Crisis LIVE: યુએન - યુએનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓની તપાસ થવી જોઈએ

બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં છેલ્લા બે સપ્તાહમાં હિંસા અને જાનહાનિ જોવા મળી છે. હિંસાનો અંત લાવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે હવે તમામ પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. બાંગ્લાદેશના લોકો પાછલા કેટલાક અઠવાડિયાની ઘટનાઓની સંપૂર્ણ અને સ્વતંત્ર યુએનની આગેવાની હેઠળની તપાસને પાત્ર છે. યુકે બાંગ્લાદેશ માટે શાંતિપૂર્ણ અને લોકશાહી ભાવિ સુનિશ્ચિત કરવા પગલાં લેવા માંગે છે

23:20 PM (IST)  •  05 Aug 2024

Bangladesh Government Crisis LIVE: ભારતીયોને બહાર કાઢવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી

બાંગ્લાદેશમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે બાંગ્લાદેશની સેનાએ ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે, તેથી આવું કરવાની તાત્કાલિક જરૂર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ઉગ્રવાદીઓ અને ઈસ્લામવાદીઓ પરિસ્થિતિને બગાડવાનો પ્રયાસ કરશે તો ભારત પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાની યોજના બનાવી શકે છે.

23:19 PM (IST)  •  05 Aug 2024

Bangladesh Government Crisis LIVE: શેખ હસીના આજે રાત્રે હિંડન એરબેઝ પર રોકાશે

શેખ હસીના આજે એટલે કે સોમવારે રાત્રે હિંડોન એરબેઝ પર રોકાશે અને આવતીકાલે મંગળવારે અન્ય કોઈ જગ્યાએ જઈ શકે છે અથવા ત્યાં વધુ એક દિવસ રોકાઈ શકે છે. તેણી ક્યાં જશે તે અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાશે. તેના સંબંધીઓ લંડન જઈ શકે છે, પરંતુ તે થોડા દિવસ અહીં રહેશે અને તે પછી તે લંડનની ફ્લાઈટ પણ લઈ શકશે. ભારત સરકાર પાસે એવી કોઈ માહિતી નથી કે બ્રિટને તેને આશ્રય ન આપવાનો નિર્ણય કર્યો છે.

22:58 PM (IST)  •  05 Aug 2024

Bangladesh Government Crisis LIVE: નેપાળે ભારત સાથેની સરહદ પર સુરક્ષા વધારી

બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી, નેપાળે હિંસાગ્રસ્ત દેશમાંથી નાગરિકોની સંભવિત ઘૂસણખોરીના ભયથી ભારત સાથેની તેની સરહદ પર સુરક્ષા વધારી દીધી છે.

22:58 PM (IST)  •  05 Aug 2024

Bangladesh Government Crisis LIVE: આવતીકાલે કર્ફ્યુ સમાપ્ત થશે, શાળાઓ અને કચેરીઓ ફરીથી ખુલશે

બાંગ્લાદેશની સૈન્ય શાખા ISPR એ એબીપી ન્યૂઝને જણાવ્યું કે મંગળવારે બાંગ્લાદેશમાં કર્ફ્યુ સમાપ્ત થશે, શાળાઓ અને વેપાર ધંધા ફરીથી ખુલશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget