શોધખોળ કરો

Coronavirus China: ચીનના ઝેજિયાંગમાં કોરોનાનો કાળો કેર, 24 કલાકનો આંકડો બિહામણો

ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, દેશના કોરોના વાયરસ કેસમાં રેકોર્ડ ઉછાળો હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી ચીનમાં મૃત્યુનો કોઈ જ કેસ નોંધાયો નથી.

Corona Case Rising Zhejiang : ચીનમાં કોરોના વાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતિ ઝેજિયાંગ પ્રાંતમાં જોવા મળી રહી છે. અહીં કોરોના વાયરસના કારણે દરરોજ લગભગ 10 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. ઝેજિયાંગ ચીનના ઔદ્યોગિક શહેર શાંઘાઈની નજીક જ આવેલું છે. પ્રાંતીય સરકાર દ્વારા આ મામલે કહેવામાં આવ્યું હતું કે, આગામી થોડા દિવસોમાં અહીં કોરોનાના નવા કેસ બમણા થઈ શકે છે. પરંતુ સૌથી આશ્ચર્યની અને રાહત ભરી વાત એ છે કે કેસ વધવા છતાં પણ કોરોનાને કારણે કોઈ મૃત્યુ નથી નોંધાઈ રહ્યું.

ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, દેશના કોરોના વાયરસ કેસમાં રેકોર્ડ ઉછાળો હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી ચીનમાં મૃત્યુનો કોઈ જ કેસ નોંધાયો નથી. નાગરિકો અને નિષ્ણાતો પાસેથી સચોટ ડેટાની માંગણી કરવામાં આવી રહી છે. ચીનમાં ઝીરો કોવિડ પોલિસીને અચાનક નાબૂદ કર્યા બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. નેચીનમાં આંકડા ત્યારે વધુ અધૂરા બની જાય છે જ્યારે નેશનલ હેલ્થ કમિશને કોઈ જ લક્ષણો વગરના કોરોનાના કેસનો રિપોર્ટ જ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે કોરોનાના કેસને ટ્રેક કરવા મુશ્કેલ બની ગયા છે. ઝેજિયાંગ એવા ક્ષેત્રોમાંનું એક છે જ્યાં લક્ષણો વિના કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.

કોરોનાના કેસ છુપાવતુ ચીન 

ઝેજિયાંગ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, નવા વર્ષ સુધીમાં સંક્રમણ તેની પિક પર પહોંચી જાય તેવી શક્યતા છે. આમ થવા પર અહીં દરરોજ કોરોનાના નવા કેસની સંખ્યા 20 લાખની નજીક પહોંચી શકે છે. ઝેજિયાંગની વસ્તી 65.4 મિલિયન છે. લાખો કેસ હોવા છતાં ચીન ચેપને છુપાવી રહ્યું છે. ઝેજિયાંગ પ્રાંતે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 13,583 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. એક દર્દી કોરોનાને કારણે ગંભીર હતો. ચીને પણ કોરોનાથી થતા મૃત્યુ પર મહદ અંશે નિયંત્રણ મેળવી લીધું છે જેના કારણે અહીં મૃત્યું પણ મર્યાદિત બન્યા છે. ચીનમાં કોરોનાથી ફક્ત તે જ મૃત્યુની ગણતરી કરવામાં આવે છે જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય છે. જોકે દુનિયાભરના નિષ્ણાતોએ ચીનની આ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

ચીન માટે સૌથી ખતરનાક અઠવાડિયું

અહેવાલ અનુસાર કેપિટલ ઇકોનોમિક્સના એક રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન મહામારીનું સૌથી ખતરનાક સપ્તાહ હવે નજીક આવી રહ્યું છે. સત્તાવાળાઓ ઈન્ફેક્શન ઘટાડવા માટે લગભગ કોઈ પ્રયાસ કરવાનું જ બંધ કરી દીધું છે. એટલે કે સ્થિતિ રામભરોશે છોડી દેવામાં આવી છે. તાજેતરના દિવસોમાં કિન્ગદાઓ અને ડોંગગુઆન શહેરમાં પણ દરરોજ હજારો કોરોના સંક્રમણના કેસ આવવાનો અંદાજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget