શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખને પાર, UNએ કહ્યું-અઢી કરોડ લોકો થઈ શકે કે બેરોજગાર
ભારતમાં કોવિડ-19 પોઝિટીવ કેસની સંખ્યા 151 થઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે અનેક દેશોમાં લોક ડાઉન જેવી સ્થિતિ છે અને તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે.
![Coronavirus: વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખને પાર, UNએ કહ્યું-અઢી કરોડ લોકો થઈ શકે કે બેરોજગાર coronavirus outbreak united nations says could destroy up to 25 million jobs Coronavirus: વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખને પાર, UNએ કહ્યું-અઢી કરોડ લોકો થઈ શકે કે બેરોજગાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/19044822/co.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા બે લાખની પાર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 150ને પાર પહોંચી ગઈ છે.
સમાચાર એજન્સી એફએફપી મુજબ, બુધવારે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર બપોરે એક વાગ્યા સુધીમાં કોરોના વાયરસથી દુનિયાભરમાં લગભગ 200,680 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને આઠ હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે.
કોરોના વાયરસના કારણે અનેક દેશોમાં લોક ડાઉન જેવી સ્થિતિ છે અને તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહે છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં બેરોજગારી ખુબજ ઝડપી વધશે અને લગભગ અઢી કોરોડ લોકો તેના બેરોજગાર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગગઠને પોતાની એક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું કે, “રોજગારીમાં ઘટાડો થવાથી કર્મચારીઓના વેતન પણ મોટું નુકસાન થશે.” સંગઠન અનુસાર કર્મચારીઓને 2020ના અંત સુધી 860 અરબ ડોલર થી 3400 અરબ ડોલરનું નુકસાન ભોગવવું પડી શકે છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 151 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે વિદેશમાં રહેતા ભારતીયોની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી 276 ભારતીયો કોવિડ-19થી સંક્રમિત છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)