શોધખોળ કરો

Iran: 'હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાના પુરાવા નહી', જાણો ઇરાની વિદેશમંત્રીએ શું કહ્યુ?

Iran:ઈરાનના વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે ઈરાન પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે.

Iran: ઈરાનના વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યું કે ઈરાન પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે. ઈરાનના વિદેશ મંત્રીએ ધમકી આપી હતી કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઈરાન તાત્કાલિક અને યોગ્ય જવાબ આપશે. ઇઝરાયલ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ઈરાનમાં શુક્રવારે વિસ્ફોટના અવાજ સંભળાયા

નોંધનીય છે કે શુક્રવારે ઈરાનના ઈસ્ફહાન શહેરમાં થયેલા હુમલાના સમાચાર મીડિયામાં છવાયેલા હતા. હવે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દોલ્લાહિયને આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે 'કેટલાક ડ્રોન ઈરાનની અંદરથી ઉડાડવામાં આવ્યા હતા, જેને થોડા મીટર ઉડાન ભર્યા બાદ જ તોડી પાડવામાં આવ્યા હતા.' તેમણે કહ્યું હતું કે 'તે ડ્રોન બાળકોના રમકડાં જેવા હતા, જેની સાથે અમારા બાળકો રમે છે.'

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે 'હજુ સુધી એ સાબિત નથી થયું કે આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ હતો. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જે કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી. ઈરાનમાં શુક્રવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે એર ડિફેન્સ સિસ્ટમે ત્રણ ડ્રોનને નિશાન બનાવ્યા હતા, જેના કારણે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે કેટલાક આતંકવાદીઓએ આ ડ્રોન ઉડાવ્યા હોઇ શકે છે.

ઈરાનની ઈઝરાયલને ધમકી

ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયલને ધમકી આપતા કહ્યું કે, 'જો ઈઝરાયલ ફરી કોઈ ભૂલ કરશે અથવા કંઈક કરશે જે ઈરાનના હિતમાં નથી તો અમે જડબાતોડ જવાબ આપીશું.' શુક્રવારે ઈરાનના કોઈપણ વ્યૂહાત્મક લક્ષ્ય પર કોઈ હુમલાની કોઈ માહિતી નથી. ઈરાનને કોઈ નુકસાન પણ થયું નથી. ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. અમેરિકાએ પણ કોઈપણ હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે.                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget