સ્પીકરે ઈરાનની જનતા અને તેમના સર્વોચ્ચ નેતાનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો.
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
ઈસ્લામાબાદ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે અમેરિકા પર સાધ્યું નિશાન; કહ્યું- 'અમને તેમના પર કોઈ જ ભરોસો નથી.'

- શાંતિ ઈચ્છા છતાં કડવા અનુભવોનો આપ્યો હવાલો.
- ચૂંટણી: ઈરાનમાં ૧ મેના રોજ સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે.
- મંત્રણા નિષ્ફળ: અમેરિકા અને ઈરાન વચ્ચેની ૨૧ કલાકની 'ઈસ્લામાબાદ વાટાઘાટો' નિષ્ફળ રહી.
- અવિશ્વાસ: ઈરાની સ્પીકરે અમેરિકા પર ભરોસો ન હોવાનું જણાવી તેની ટીકા કરી.
- શાંતિનો પક્ષ: ઈરાને શાંતિની ઈચ્છા હોવા છતાં જૂના કડવા અનુભવોનો હવાલો આપ્યો.
- જનતાનો આભાર: કટોકટીમાં સમર્થન આપવા બદલ સ્પીકરે ઈરાનની જનતાનો આભાર માન્યો.
Iran Elections 2026: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ અને યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ઈરાને પોતાના દેશમાં લોકશાહી પ્રક્રિયાને આગળ વધારવાનો મોટો નિર્ણય લીધો છે. ઈરાનમાં આગામી 1 મેના રોજ શહેર અને ગ્રામ પરિષદની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં 21 કલાક ચાલેલી 'ઈસ્લામાબાદ વાટાઘાટો' કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ ગઈ છે. આ મંત્રણા નિષ્ફળ જતા ઈરાની સંસદના અધ્યક્ષ (સ્પીકર) મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તેમને અમેરિકા પર કોઈ જ વિશ્વાસ નથી.
વાટાઘાટો પહેલા પણ વ્યક્ત કર્યો હતો અવિશ્વાસ
ઈસ્લામાબાદ મંત્રણા પૂરી થયા પછી ગાલિબાફે પોતાનું પહેલું સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે સીધો દાવો કર્યો છે કે આ મંત્રણામાં અમેરિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, વાતચીત શરૂ થાય તે પહેલા જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે ઈરાન પાસે શાંતિ માટેનો ઈરાદો અને ઈચ્છાશક્તિ બંને છે, પરંતુ ભૂતકાળના 2 યુદ્ધોના કડવા અનુભવોને લીધે તેમને સામે વાળા પક્ષ પર જરાય આત્મવિશ્વાસ નથી. તેમણે ઉમેર્યું કે, આ મંત્રણામાં પણ અમેરિકા ઈરાની પ્રતિનિધિમંડળનો ભરોસો જીતવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.
જનતા અને સર્વોચ્ચ નેતાનો માન્યો આભાર
મીનાબ 168 નો સંદર્ભ આપતા ગાલિબાફે ઈરાનની જનતા અને તેમના સર્વોચ્ચ નેતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "ઈરાન 9 કરોડ લોકોનો દેશ છે. હું એ તમામ બહાદુર નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે અમારા સર્વોચ્ચ નેતાની સલાહ માની, રસ્તાઓ પર ઉતરીને પોતાના બાળકોને અને અમને પૂરો ટેકો આપ્યો." આ સાથે જ ગાલિબાફે સતત 21 કલાક સુધી ચાલેલી આ ભારે ટેન્શનવાળી મંત્રણામાં પોતાના સાથીદારોની મહેનત અને તેમના પ્રયત્નોના પણ ખૂબ વખાણ કર્યા હતા.
Frequently Asked Questions
ઈરાનના સ્પીકરે કોનો આભાર માન્યો?





















