શોધખોળ કરો

અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન

ઈસ્લામાબાદ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે અમેરિકા પર સાધ્યું નિશાન; કહ્યું- 'અમને તેમના પર કોઈ જ ભરોસો નથી.'

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શાંતિ ઈચ્છા છતાં કડવા અનુભવોનો આપ્યો હવાલો.
  • ચૂંટણી: ઈરાનમાં ૧ મેના રોજ સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે.
  • મંત્રણા નિષ્ફળ: અમેરિકા અને ઈરાન વચ્ચેની ૨૧ કલાકની 'ઈસ્લામાબાદ વાટાઘાટો' નિષ્ફળ રહી.
  • અવિશ્વાસ: ઈરાની સ્પીકરે અમેરિકા પર ભરોસો ન હોવાનું જણાવી તેની ટીકા કરી.
  • શાંતિનો પક્ષ: ઈરાને શાંતિની ઈચ્છા હોવા છતાં જૂના કડવા અનુભવોનો હવાલો આપ્યો.
  • જનતાનો આભાર: કટોકટીમાં સમર્થન આપવા બદલ સ્પીકરે ઈરાનની જનતાનો આભાર માન્યો.

Iran Elections 2026: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ અને યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ઈરાને પોતાના દેશમાં લોકશાહી પ્રક્રિયાને આગળ વધારવાનો મોટો નિર્ણય લીધો છે. ઈરાનમાં આગામી 1 મેના રોજ શહેર અને ગ્રામ પરિષદની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં 21 કલાક ચાલેલી 'ઈસ્લામાબાદ વાટાઘાટો' કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ ગઈ છે. આ મંત્રણા નિષ્ફળ જતા ઈરાની સંસદના અધ્યક્ષ (સ્પીકર) મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તેમને અમેરિકા પર કોઈ જ વિશ્વાસ નથી.

વાટાઘાટો પહેલા પણ વ્યક્ત કર્યો હતો અવિશ્વાસ

ઈસ્લામાબાદ મંત્રણા પૂરી થયા પછી ગાલિબાફે પોતાનું પહેલું સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે સીધો દાવો કર્યો છે કે આ મંત્રણામાં અમેરિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, વાતચીત શરૂ થાય તે પહેલા જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે ઈરાન પાસે શાંતિ માટેનો ઈરાદો અને ઈચ્છાશક્તિ બંને છે, પરંતુ ભૂતકાળના 2 યુદ્ધોના કડવા અનુભવોને લીધે તેમને સામે વાળા પક્ષ પર જરાય આત્મવિશ્વાસ નથી. તેમણે ઉમેર્યું કે, આ મંત્રણામાં પણ અમેરિકા ઈરાની પ્રતિનિધિમંડળનો ભરોસો જીતવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

જનતા અને સર્વોચ્ચ નેતાનો માન્યો આભાર

મીનાબ 168 નો સંદર્ભ આપતા ગાલિબાફે ઈરાનની જનતા અને તેમના સર્વોચ્ચ નેતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "ઈરાન 9 કરોડ લોકોનો દેશ છે. હું એ તમામ બહાદુર નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે અમારા સર્વોચ્ચ નેતાની સલાહ માની, રસ્તાઓ પર ઉતરીને પોતાના બાળકોને અને અમને પૂરો ટેકો આપ્યો." આ સાથે જ ગાલિબાફે સતત 21 કલાક સુધી ચાલેલી આ ભારે ટેન્શનવાળી મંત્રણામાં પોતાના સાથીદારોની મહેનત અને તેમના પ્રયત્નોના પણ ખૂબ વખાણ કર્યા હતા.

Frequently Asked Questions

ઈરાનના સ્પીકરે કોનો આભાર માન્યો?

સ્પીકરે ઈરાનની જનતા અને તેમના સર્વોચ્ચ નેતાનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget