![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Murder Case: પાકિસ્તાનમાં પતિએ પત્ની અને સાત બાળકોને કુહાડીથી કાપ્યા, કહ્યુ- 'તેમને ખવડાવવાના પૈસા નહોતા'
Pakistan Murder Case:આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્નીને કુહાડીથી કાપીને હત્યા કરી દીધી
![Murder Case: પાકિસ્તાનમાં પતિએ પત્ની અને સાત બાળકોને કુહાડીથી કાપ્યા, કહ્યુ- 'તેમને ખવડાવવાના પૈસા નહોતા' Pakistan Murder Case: Pakistan Man Kills Wife, 7 Children With Axe Murder Case: પાકિસ્તાનમાં પતિએ પત્ની અને સાત બાળકોને કુહાડીથી કાપ્યા, કહ્યુ- 'તેમને ખવડાવવાના પૈસા નહોતા'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/46bb587ec13b3539a1491bacadccaaa51709870974422645_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan Murder Case:પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્નીને કુહાડીથી કાપીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો, જેના કારણે તેણે હત્યા કરી હતી. દરમિયાન પાકિસ્તાનથી સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે દેશમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બની હતી. આરોપી સજ્જાદ ખોખરે 7 સગીર બાળકો સાથે તેની પત્નીની હત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પૈસા ન હોવાના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા.
આરોપીએ પોલીસને શું કહ્યું?
પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી અને આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપી વ્યક્તિએ પોલીસને કહ્યું કે તે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકતો ન હતો જેના કારણે તેણે હત્યા કરી હતી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને ખત્મ કરી રહ્યા છે.
ઈમરાન ખાને ઢાકા ત્રાસદીનો ભય વ્યક્ત કર્યો હતો
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આદિયાલા જેલમાંથી સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ઈમરાને કહ્યું કે કોઈ પણ દેશ આર્થિક સ્થિરતા વગર ચાલી શકે નહીં. તેમણે પાકિસ્તાનમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ અને 1971ની ઢાકા ત્રાસદી વચ્ચે સરખામણી કરી છે. ઈમરાને પાકિસ્તાનમાં 'ઢાકા ટ્રેજડી'ની આશંકા વ્યક્ત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)