શોધખોળ કરો

Pakistan : ઈમરાન ખાનને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, NABને બરાબરની ઘઘલાવી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને એક જ કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું હતું કે, આ સમય ભવિષ્ય માટે એક દાખલો બેસાડવાનો છે.

Pakistan Suprime Court : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને બરાબરની ફટકાર લગાવી છે. ખરેખર, ઈમરાન ખાનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને એક જ કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું હતું કે, આ સમય ભવિષ્ય માટે એક દાખલો બેસાડવાનો છે. પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી NAB એ દેશને ઘણું નુકશાન પહોંચાડ્યું છે.

સુપ્રીમ કોર્ટે NABને પૂછ્યું, કાયદો હાથમાં લેવાની શું જરૂર છે?

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાનની ધરપકડ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પીટીઆઈ અધ્યક્ષની ધરપકડ પર ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ ઉપરાંત ચીફ જસ્ટિસ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહ અલ કાદિર ટ્રસ્ટમાં ઈમરાનની ધરપકડની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ઈમરાનની ધરપકડ કાયદેસર છે કે ગેરકાયદે? જસ્ટિસ મિનાલ્લાહે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને ફટકાર લગાવી હતી. નેબને સણસણતો સવાલ કરવામાં આવ્યો હતો કે, તેને કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી?

ઈમરાનની ધરપકડ ગેરકાયદેસર, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે પીટીઆઈના અધ્યક્ષને એક કલાકમાં હાજર થવા કહ્યું હતું. ઈમરાનની મુક્તિ પર સુપ્રીમ કોર્ટ આજે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને એક કલાકમાં કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. ઈમરાન ખાનની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટ ખૂબ જ કડકાઈભર્યું વલણ દાખવી રહી છે. કોર્ટે કહ્યું હતું કે, ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું હતું કે, કોર્ટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. 

ધરપકડ પહેલા પરવાનગી લેવી જરૂરી

ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને? મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.

સુપ્રીમ કોર્ટે NABને ફટકાર લગાવી

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની અરજી પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહને બેન્ચમાં સામેલ હતાં. આ દરમિયાન જસ્ટિસ અતહર મિનાલ્લાહે ટિપ્પણી કરી હતી કે, NAB ઘણા વર્ષોથી આમ કરી રહી છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયા બંધ થવી જોઈએ. કોર્ટે NABને પૂછ્યું છે કે, કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે થઈ શકે? સુનાવણીની બેંચે કહ્યું હતું કે, કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. NABએ કોર્ટનું અપમાન કર્યું છે. 

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું હતું કે, કુલ કેટલા લોકોએ મળીને ઈમરાન ખાનની ધરપકડ કરી? જેના પર ઈમરાન ખાનના વકીલ સલમાન સફદરે કહ્યું હતું કે, લગભગ 80 થી 100 લોકોએ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો યુનિવર્સિટીની જમીન સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈમરાન ખાનની સાથે તેની પત્ની બુશરા બીવીનું નામ પણ સામેલ છે. જો કે હજુ સુધી તેની પત્નીની ધરપકડ કરવામાં આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget