![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mike Pompeo: બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારત પર ન્યૂક્લિયર હુમલાની તૈયારીમાં હતું પાકિસ્તાન, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો દાવો
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને દાવો કર્યો છે.
![Mike Pompeo: બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારત પર ન્યૂક્લિયર હુમલાની તૈયારીમાં હતું પાકિસ્તાન, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો દાવો Pakistan was preparing for nuclear attack on India post-Balakot airstrike, claims ex-US Secretary Mike Pompeo: બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારત પર ન્યૂક્લિયર હુમલાની તૈયારીમાં હતું પાકિસ્તાન, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/d444db4000254748db291ec692d709d8167461276624074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mike Pompeo On India-Pakistan: અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને દાવો કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2019માં બાલાકોટમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું.
Pompeo in book says US averted nuclear war between India and Pakistan in 2019. Says he spoke to Pakistan's "actual leader" - General Bajwa https://t.co/Ljynr2IdW5
— Shaun Tandon (@shauntandon) January 24, 2023
પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પોતાના પુસ્તક ‘Never Give an Inch: Fighting for the America I Love’માં જણાવ્યું હતું કે પરમાણુ હુમલાની આ માહિતી તેમને ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે 2019માં 27-28 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની ત્યારે તે યુએસ-નોર્થ કોરિયા સમિટ માટે હનોઈ ગયા હતા. આ પછી તેમની ટીમે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ સાથે વાત કરી હતી.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે મને નથી લાગતું કે દુનિયાને ખબર હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પરમાણુ હુમલા સુધી કેટલું નજીક આવી ગયું છે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે મને પણ આનો જવાબ ખબર નથી. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. તેનો બદલો લેવા માટે ભારતે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
પાકિસ્તાને શું કહ્યું?
માઈક પોમ્પિયોએ કહ્યું કે જ્યારે તે વિયેતનામના હનોઈમાં હતા ત્યારે તેઓ તે રાત ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે મેં પાકિસ્તાનના પરમાણુ હુમલાને લઈને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાત કરી હતી. પોમ્પિયોએ તેમને કહ્યું કે ભારતે શું કહ્યું છે, પરંતુ બાજવાએ કહ્યું કે તે ખોટું છે. જોકે, પોમ્પિયોના દાવા પર વિદેશ મંત્રાલય દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. માઈક પોમ્પિયોએ દાવો કર્યો કે અમે જે કર્યું તે કોઈ દેશ કરી શકે નહીં.
Doomsday Clock: વિશ્વ વિનાશની નજીક છે, ડૂમ્સડે ઘડિયાળમાં 10 સેકન્ડનો ઘટાડો થયો, જાણો આગાહી
Doomsday Clock: વિજ્ઞાનીઓએ ડૂમ્સડે ક્લોકને લઈને મોટી જાહેરાત કરી છે. વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિને જોતા ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોએ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ઘડિયાળમાં 10 સેકન્ડનો ઘટાડો કર્યો છે. આ ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મતે, વિશ્વ હવે વિનાશથી માત્ર 90 સેકન્ડ દૂર છે. આ ઘડિયાળમાં મધ્યરાત્રિના સમય માટે જેટલો ઓછો સમય બાકી રહેશે, વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો તેટલો જ નજીક આવશે. આ ઘડિયાળ, જે 1947 થી કામ કરી રહી છે, તે જણાવે છે કે વિશ્વ મહાન વિનાશથી કેટલું દૂર છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વાર્ષિક ડૂમ્સડે ક્લોકની જાહેરાત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે આખું વિશ્વ વિનાશના આરે ઉભું છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)