શોધખોળ કરો

India-Qatar: કતારમાં જેલમાંથી મુક્ત થયા આઠ ભારતીય પૂર્વ નૌસૈનિક , ભારત સરકારે નિર્ણયનું કર્યું સ્વાગત

Qatar court: કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા

Qatar court: ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર કતારે તેમની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી

અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી.

26 ઓક્ટોબરના રોજ, કતારની કોર્ટે ઓગસ્ટ 2022 માં ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, કતાર પ્રશાસન કે ભારત સરકારે તે અધિકારીઓ સામેના આરોપોને જાહેર કર્યા નથી. જ્યારે મૃત્યુદંડના સમાચાર વૈશ્વિક ચર્ચા બન્યા ત્યારે ભારતે ચુકાદાને "આઘાતજનક" ગણાવ્યો અને આ કેસમાં તમામ કાનૂની વિકલ્પોને અનુસરવાનું નક્કી કર્યું હતું.

કતારમાંથી મુક્ત કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકો કોણ છે?

આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ - કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ જેઓ કતારમાં અલદાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરી રહ્યા હતા જે એક સર્વિસિસ અને સંરક્ષણ સેવાઓ પ્રદાન કરતી કંપની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget