શોધખોળ કરો

UK Visa: મોદી-સુનક વચ્ચેની મુલાકાત બાદ બ્રિટને ભારતીય નાગરિકો માટે 3000 વીઝાને આપી મંજૂરી, વિદ્યાર્થીઓને મળશે નવા અવસર

બ્રિટનમાં કામ કરવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર આવ્યા છે

UK Visa Update: બ્રિટનમાં કામ કરવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર આવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુકેમાં કામ કરવા માટે દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બ્રિટન સરકાર અનુસાર, આ યોજના 18-30 વર્ષની વયના શિક્ષિત ભારતીય નાગરિકોને વ્યાવસાયિક અને સાંસ્કૃતિક વિનિમયમાં ભાગ લેવાની તક પૂરી પાડશે.

બ્રિટનના ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને વિઝા આપવાની યોજનાને લીલીઝંડી આપી હતી. બાલીમાં G-20 સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક વચ્ચે બેઠકના થોડાક જ કલાકમાં બ્રિટન સરકારે આ અંગેની જાહેરાત કરી હતી. સુનક વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી અને સુનક વચ્ચે આ પહેલી બેઠક હતી. સુનકે બાલીમાં કહ્યું કે તેઓ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે ઝડપના ભોગે ગુણવત્તા સાથે સમાધાન કરવા માગતા નથી. તેઓ આ દિશામાં આગળ વધવામાં થોડોક સમય લેશે. બ્રિટિશ સરકારે કહ્યું કે બ્રિટન સાથે આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.

યુકેના વડાપ્રધાને કહ્યું કે ભારત યુકે-ભારત માઇગ્રેશન  અને મોબિલીટી પાર્ટનરશીપની તાકાતને ઉજાગર કરીને આવી યોજનાનો લાભ મેળવનાર પ્રથમ વિઝા-રાષ્ટ્રીય દેશ છે.

બાલીમાં G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેની ટૂંકી મુલાકાતના કલાકો પછી આની પુષ્ટી કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચેની મીટિંગની તસવીર શેર કરતા પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બાલીમાં જી-20 સમિટના પહેલા દિવસે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક.

શું કહ્યું ઋષિ સુનકે?

બ્રિટિશ પીએમ ઋષિ સુનકે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક આપણી સુરક્ષા અને આપણી સમૃદ્ધિ માટે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે. તે ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓથી ભરપૂર છે અને આગામી દાયકા આ પ્રદેશમાં શું થશે તેના દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. સુનકે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે યુકેના ઊંડા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનીય મૂલ્યને જાણે છે. તેમને આનંદ છે કે ભારતના વધુ તેજસ્વી યુવાનોને હવે યુકેમાં જીવનનો અનુભવ કરવાની તક મળશે, જે આપણી અર્થવ્યવસ્થા અને સમાજને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.

યુકેમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ ત્રીજા ભાગના ભારતના છે. યુકે હાલમાં ભારત સાથે વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહ્યું છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી થઈ જાય છે તો ભારત દ્વારા યુરોપના કોઈપણ દેશ સાથે આ પ્રકારની પ્રથમ ડીલ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Embed widget