શોધખોળ કરો

Russia Terrorist Attack: મૉસ્કો હુમલામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો હાથ, યુક્રેન ભાગી રહ્યા હતા હુમલાખોરો: પુતિન

Russia Terrorist Attack:રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા હુમલાખોરો 'ઇસ્લામિક કટ્ટરપંથી' છે.

Moscow Terrorist Attack Update : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (25 માર્ચ) દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા હુમલાખોરો 'ઇસ્લામિક કટ્ટરપંથી' છે. આ હુમલામાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા.

સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું હતું કે આ હત્યાઓ ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્ધારા કરવામાં આવી છે. પુતિને ગયા સપ્તાહના અંતે જણાવ્યું હતું કે ચાર હુમલાખોરો યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. રશિયન રાષ્ટ્રપતિએ સોમવારે પોતાની ટિપ્પણીમાં ફરી એકવાર ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.

પુતિને કહ્યું- હુમલા બાદ આતંકવાદીઓ યુક્રેન ભાગ્યા

વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે "આતંકવાદીઓએ હુમલો કર્યા પછી યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કેમ કર્યો અને ત્યાં કોણ તેમની રાહ જોઈ રહ્યું હતું તે શોધવું મહત્વપૂર્ણ છે."

આઈએસ દ્ધારા હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ અમેરિકાએ આતંકી સંગઠનના દાવાને યોગ્ય ઠેરવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર, 'IS યુનિટ' મોસ્કો હુમલા માટે જવાબદાર છે.

રશિયા આ હુમલા માટે આઈએસને જવાબદાર ગણવાનો ઈનકાર કરી રહ્યું છે.

અગાઉ સોમવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કોઈને પણ જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો હતો અને પત્રકારોને રશિયન એજન્સીઓ દ્વારા તપાસના પરિણામોની રાહ જોવા વિનંતી કરી હતી. તેમણે એવા અહેવાલો પર પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે અમેરિકાએ રશિયાને 7 માર્ચે સંભવિત આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. પેસ્કોવે કહ્યું કે આવી ગુપ્ત માહિતી સિક્રેટ હોય છે.

રશિયન કોન્સર્ટ હોલ પર હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર લોકોને રવિવારે મોસ્કોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આતંકવાદનો આરોપ મુકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓએ કોર્ટને ઈજાના નિશાન પણ બતાવ્યા હતા.

મોસ્કો હુમલામાં 137 લોકો માર્યા ગયા હતા

રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિને જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે પરંતુ તેમણે વચન આપ્યું હતું કે "ગુનેગારોને સજા કરવામાં આવશે, તેઓ દયાને પાત્ર નથી." હુમલામાં 137 લોકો માર્યા ગયા હતા અને 180 થી વધુ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે 97 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget