શોધખોળ કરો

Russia Ukraine War: શું યુક્રેન પર સંપૂર્ણ કબજો કરી લેશે રશિયા ? 10 પોઈન્ટમાં જાણો અત્યાર સુધીમાં શું શું થયું ?

Russia-Ukraine Conflict: વિશ્વ પર આ યુદ્ધની સૌથી મોટી અસર ખાદ્ય સંકટના રૂપમાં સામે આવી છે. રશિયા અને યુક્રેન બંને ઘઉંના મુખ્ય ઉત્પાદકો અને નિકાસકારો છે. યુક્રેન વિશ્વના 10 ટકા ઘઉંની નિકાસ કરે છે.

Russia Ukraine War:  રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને 112 દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં યુક્રેનના 5500 થી વધુ નાગરિકોના મોત થયા છે. 10 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધની અસર માત્ર રશિયા અને યુક્રેન પર જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી છે.

જાણો અત્યાર સુધીમાં શું શું થયું

રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી શું થયું?

23 ફેબ્રુઆરી 2022 ની રાત્રે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. થોડા કલાકો પછી, એટલે કે 24 ફેબ્રુઆરીની વહેલી સવારે, યુક્રેનની રાજધાની કિવ અને આસપાસના શહેરોમાં હવાઈ હુમલા શરૂ થયા. રશિયાના આ હુમલાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

ઘણા શહેરો પર રશિયન કબજો

રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેનના નવ શહેરો કબજે કર્યા છે. આમાં મેરીયુપોલ, સેવેરોડોનેત્સ્ક, ડોનબાસ, લુહાન્સ્ક, મેલિટોપોલ, આઈઝમ, લીમેન, ડોન્સ્ક, રુબેઝોની જેવા શહેરોનો સમાવેશ થાય છે. હવે રશિયન સૈનિકો એક સાથે બે જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા છે. રશિયન સૈનિકોની એક મજબૂત દળ ઉત્તર યુક્રેન તરફ અને બીજી દક્ષિણ તરફ આગળ વધી રહી છે.

કેટલા લોકો માર્યા ગયા?

યુદ્ધમાં મૃતકોની સંખ્યા વિશે ઘણા અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે. આંકડાકીય અહેવાલ મુજબ, યુક્રેનમાં અત્યાર સુધીમાં 5,500 થી વધુ નાગરિકોના મોત થયા છે. 10 હજારથી વધુ ઘાયલ છે. ધ વર્લ્ડ નંબર્સના અહેવાલ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં યુક્રેનિયન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે હવે દરરોજ 100 થી 200 યુક્રેનિયન સૈનિકો મરી રહ્યા છે.

યુક્રેને શું મોટો દાવો કર્યો

યુક્રેનનો એવો પણ દાવો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. 20  હજાર જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે રશિયા દ્વારા હજુ સુધી આવા આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

રશિયા સંપૂર્ણપણે યુક્રેન પર કબજો કરશે?

રાજકીય પંડિતોના કહેવા મુજબ, રશિયા તેને લીધા વિના પીછેહઠ કરશે નહીં. યુદ્ધને કારણે રશિયાએ ઘણું બધું દાવ પર લગાવી દીધું છે. એક તરફ અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે, જ્યારે બધાએ રશિયાનો બહિષ્કાર શરૂ કરી દીધો છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ પણ પાછળ હટવા તૈયાર નથી. આવી સ્થિતિમાં યુદ્ધને તાત્કાલિક રોકવું શક્ય નથી.

યુદ્ધમાં કેટલું નુકસાન થયું?

યુક્રેનના સંસદીય પંચે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગને જણાવ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાએ 45,000 થી વધુ રહેણાંક ઇમારતોને નષ્ટ કરી છે. 3.02 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. 2200 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બરબાદ થઈ ગઈ છે. તેમાંથી 201 સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.

કાર, પુલ બનાવાઈ રહ્યા છે નિશાન

યુદ્ધમાં 500 થી વધુ કાર, 50 રેલ પુલ, 760 ફેક્ટરીઓ અને 560 થી વધુ હોસ્પિટલોને પણ નુકસાન થયું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ યુદ્ધમાં યુક્રેનની 296 હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને આરોગ્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

દુનિયા પર શું અસર પડી?

વિશ્વ પર આ યુદ્ધની સૌથી મોટી અસર ખાદ્ય સંકટના રૂપમાં સામે આવી છે. રશિયા અને યુક્રેન બંને ઘઉંના મુખ્ય ઉત્પાદકો અને નિકાસકારો છે. યુક્રેન વિશ્વના 10 ટકા ઘઉંની નિકાસ કરે છે. આ સિવાય મકાઈના વૈશ્વિક વેપારમાં પણ યુક્રેનનો હિસ્સો 15 ટકા છે યુક્રેન વિશ્વમાં વપરાતા સૂર્યમુખી તેલના 50 ટકા ઉત્પાદન કરે છે. યુદ્ધને કારણે વિશ્વને ઘઉં અને સૂર્યમુખી તેલની કટોકટીનો સામનો કરવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રનો ખાદ્ય પુરવઠો કાર્યક્રમ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

ઊર્જા ઉત્પાદન પર અસર

યુદ્ધને કારણે માત્ર ખાદ્યપદાર્થોની કટોકટી જ નહીં પરંતુ ઉર્જા ઉત્પાદન પર પણ અસર પડી છે. રશિયા કુદરતી ગેસનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. તે ક્રૂડ ઓઈલનો બીજો સૌથી મોટો સપ્લાયર છે અને કોલસાનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. યુદ્ધ પહેલાં, ત્રણ ચતુર્થાંશ રશિયન ગેસ અને અડધા રશિયન ક્રૂડ યુરોપમાં મોકલવામાં આવતા હતા. યુરોપિયન યુનિયનના તેલ, ગેસ અને કોલસાનો એક ક્વાર્ટર ઉપયોગ રશિયામાંથી આવે છે. યુદ્ધને કારણે તેની ઘણી અસર થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Embed widget