શોધખોળ કરો

Bangladesh: ચૂંટણી માટે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? તેમના દીકરાએ આપ્યું મોટું નિવેદન

બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તેમના દેશમાં પરત ફરશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. જો કે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે (Sajeeb Wazed Joy)  આ અંગે ચોક્કસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, “તેમની માતા તેમના દેશમાં પરત ફરશે. અત્યારે તે થોડા સમય માટે ભારતમાં છે, પરંતુ જ્યારે વચગાળાની સરકાર ચૂંટણી યોજવાનું નક્કી કરશે ત્યારે તે બાંગ્લાદેશ પરત જશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે "નિવૃત્ત અથવા સક્રિય" રાજકારણી તરીકે પરત ફરશે કે કેમ તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. અગાઉ તેણે કહ્યું હતું કે તે રાજકારણમાં પરત નહીં ફરે.

ભારતે કહ્યું કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે

બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે શેખ હસીનાને ખૂબ જ ટૂંકી સૂચના પર ભારત આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે, તેથી શેખ હસીનાએ પહેલા પોતે નિર્ણય લેવો જોઈએ, ત્યારબાદ ભારત સરકાર આ અંગે પોતાનો અભિપ્રાય આપશે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા શેખ હસીના 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા.

અગાઉ જોયે અવામી લીગના નેતાઓ અને પાર્ટીના કાર્યકરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેઓ દેશભરમાં વારંવાર હુમલાનો ભોગ બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી તેના સમર્થકોને છોડી શકતી નથી. તેમણે એવો સંકેત આપ્યો હતો કે હસીનાના પરત ફર્યા પછી તેમની ભૂમિકા વધુ સક્રિય થશે. "જ્યારે લોકશાહી ફરીથી સ્થપાશે ત્યારે તે ચોક્કસપણે બાંગ્લાદેશ પરત ફરશે.

દરમિયાન, ગુરુવારે બાંગ્લાદેશમાં અરાજકતાના વાતાવરણ વચ્ચે મોહમ્મદ યુનુસે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાલમાં તેમની પાસે દેશમાં શાંતિ સ્થાપવાની અને નવી ચૂંટણીઓ કરાવવાની મોટી જવાબદારી છે. યુનુસ (84)ને રાષ્ટ્રપતિ ભવન 'બંગ ભવન' ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મુખ્ય સલાહકાર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પદ વડાપ્રધાનની સમકક્ષ છે. આ સમારોહમાં રાજકીય પક્ષોના નેતાઓ, ન્યાયાધીશો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ત્રણેય સેનાઓના વડાઓ, પોલીસ મહાનિરીક્ષક, વરિષ્ઠ સૈન્ય અને નાગરિક અધિકારીઓ, રાજદ્વારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વરિષ્ઠ પત્રકારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget