શોધખોળ કરો

Indian Nationals Ukraine: 'ભારતના નાગરિકો જલદી યુક્રેન છોડી દે', ઇન્ડિયન એમ્બેસીએ જાહેર કરી એડવાઇઝરી

યુક્રેનમાં ભયાનક યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે.

Embassy of India in Ukraine Advisory: યુક્રેનમાં ભયાનક યુદ્ધની સ્થિતિ અને તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે (19 ઓક્ટોબર) યુક્રેનના ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારતના નાગરિકોને યુક્રેન ન જવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપી છે.

બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર પ્રદેશોમાં માર્શલ લોની જાહેરાત કરી હતી. આ વિસ્તારો લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિજ્જિયા અને ખેરસોન છે, જે ગેરકાયદેસર રીતે રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. માર્શલ લોની ઘોષણા પછી રશિયાના તમામ પ્રદેશોના વડાઓને વધારાની કટોકટીની સત્તાઓ મળી છે.

વ્લાદિમીર પુતિને શું કહ્યું?

વ્લાદિમીર પુતિને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર વિષયોમાં માર્શલ લો લાગુ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી ક્રેમલિને એક હુકમનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુરુવારની શરૂઆતથી પ્રદેશોમાં માર્શલ લો લાગુ કરવામાં આવશે.

યુક્રેન પર હુમલા વધી રહ્યા છે

તાજેતરમાં રશિયા તરફથી યુક્રેન પર હુમલા પણ વધારી દેવામાં આવ્યા છે. સોમવારે (17 ઓક્ટોબર) જ યુક્રેનના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેને કહ્યું હતું કે ડ્રોન હુમલામાં છ લોકોના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 10 ઓક્ટોબરે રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) કહ્યું કે, રશિયાએ ગત સપ્તાહમાં યુક્રેનના 30 ટકા પાવર સ્ટેશનનો તબાહ કર્યો છે.ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયન સેનાએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને યુક્રેનના ત્રીજા ભાગનાં પાવર સ્ટેશનનો નાશ કર્યો હતો. સોમવારે (17 ઓક્ટોબર) રશિયાએ કિવ અને સુમીમાં ડ્રોન હુમલા કર્યા હતા, યુક્રેને જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં 6 લોકો માર્યા ગયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. ડ્રોન હુમલામાં યુક્રેનની ઘણી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
Embed widget