શોધખોળ કરો

UNSC: ભારતે ઇઝરાયલનું સમર્થન કર્યું, પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના, રાજદૂતે હમાસના હુમલાની કરી નિંદા

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત છે, જેમાં અત્યાર સુધીમાં 6500 લોકોના મોત થયા છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં 6500 લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ બેઠક દરમિયાન નાગરિકોના જીવન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને યુદ્ધમાં નાગરિકોના જીવનને લઈને ચિંતિત છે. અમે ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરીએ છીએ.

લોકો પ્રત્યે અમારી સંવેદના

રાજદૂત આર રવિન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્દોષ લોકોના મોત પર ચિંતા અને શોક વ્યક્ત કરનારા પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા. સંકટના આ સમયમાં ભારત ઈઝરાયેલની સાથે છે. આતંકવાદીઓનો સામનો કરી રહેલા લોકો પ્રત્યે અમારી સંવેદના છે. અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. બંને બાજુના નાગરિકોએ ચિંતા કરવી જોઈએ. આપણે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો વિશે વિચારવું જોઈએ.

ભારતે મદદ માટે 38 ટન સામાન મોકલ્યો

તેમણે કહ્યું કે, ભારત ઈઝરાયલની સાથે છે અને પેલેસ્ટાઈનના નિર્દોષ લોકો માટે ચિંતિત છે. ભારતે પેલેસ્ટિનિયન લોકોને દવાઓ અને ખાદ્ય પદાર્થો સહિત 38 ટન માનવતાવાદી સહાય મોકલી છે. ભારતે હંમેશા બે દેશોના ઉકેલને સમર્થન આપ્યું છે. ભારત આ પડકારજનક સમયમાં પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ.

પોતાનો બચાવ કરવાનો અધિકાર

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને મંગળવારે સુરક્ષા પરિષદની મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વની સ્થિતિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. સભાને સંબોધતા તેમણે કહ્યું કે કોઈપણ રાષ્ટ્રને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. અમે અમારા લોકોની હત્યા સહન કરી શકતા નથી. બ્લિંકને હમાસ હુમલા અને મુંબઈ હુમલા વચ્ચે સમાનતા બતાવી હતી.

નોંધનીય છે કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઇ હુમલાઓ કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ 400થી વધુ ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે. હમાસના ત્રણ ડેપ્યુટી કમાન્ડર સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ગાઝામાં 24 કલાકમાં 704 લોકોના મોત થયા છે. ઇઝરાયલે મસ્જિદોમાં બનેલા હમાસના અનેક કમાન્ડ સેન્ટરોને નષ્ટ કર્યા હતા. એક ટનલ પણ નષ્ટ કરવામાં આવી હતી, જેના દ્વારા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget