શોધખોળ કરો

US : ...તો ભારત આકરા પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહે : અમેરિકાની ભારતને ધમકી

રબ્બી અબ્રાહમ કૂપરે ધમકીભર્યા અંદાજમાં ત્યાં સુધી કહી દીધું હતું કે, જો ભારતની સ્થિતિ નહીં સુધરે તો તેણે અમેરિકી સરકારના પ્રતિબંધો માટે તૈયાર રહેવું પડશે.

 

US On India Religious Freedom : અમેરિકાએ ફરી એકવાર ભારતમાં ધાર્મિક ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. અમેરિકાએ ભારતને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યો છે. સાથે જ અમેરિકાએ ભારતની સરખામણી અફઘાનિસ્તાન-સીરિયા સાથે કરી નાખી હતી. યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના વડા રબ્બી અબ્રાહમ કૂપરે દાવો કર્યો હતો કે, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ધાર્મિક ભેદભાવ 'ભયાનક' સ્તરે પહોંચી ગયો છે. 

રબ્બી અબ્રાહમ કૂપરે ધમકીભર્યા અંદાજમાં ત્યાં સુધી કહી દીધું હતું કે, જો ભારતની સ્થિતિ નહીં સુધરે તો તેણે અમેરિકી સરકારના પ્રતિબંધો માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતમાં ધાર્મિક અસષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અમેરિકન કમિશન (USCIRF)ના વડાએ કહ્યું હતું કે, ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ભારતે પોતાનો માર્ગ બદલવો પડશે. અગાઉ ભારતે આ ક્ષેત્રમાં વધુ સારું કામ કર્યું હતું, પરંતુ હવે ભારતમાં એવું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક ભેદભાવથી પીડિત લોકોની સંખ્યા વધી રહી છે, જે ભયજનક છે. બોલતી વખતે રબ્બી અબ્રાહમ કૂપરે ભારતની તુલના અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશો સાથે કરી નાખી હતી.

ભારતને લઈ અમેરિકા ભારે ચિંતાતુર

રબ્બી અબ્રાહમ કૂપરે મંગળવારે અમેરિકી સાંસદોને સંબોધતા કહ્યું હતું કે, ધાર્મિક ભેદભાવ રાષ્ટ્રીય ગૌરવનો વિષય ન હોવો જોઈએ. આ દરમિયાન તેમણે ભલામણ કરી હતી કે, ભારત, અફઘાનિસ્તાન, સીરિયા, નાઈજીરિયા અને વિયેતનામ જેવા દેશોને અમેરિકી સરકારે વિશેષ ચિંતાવાળા દેશોની યાદીમાં મુકવા જોઈએ.

અમેરિકાએ ભારતને ધમકી આપતા કહ્યું કે...

યુએસ કમિશનના વડાએ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં કથિત રીતે સામેલ ભારતીય એજન્સીઓ અને અધિકારીઓ સામે આર્થિક અને મુસાફરી પ્રતિબંધોની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે અમેરિકી સંસદને પણ સંબોધન કર્યું હતું. જો કે આ દરમિયાન પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ઓબામાએ શું કહ્યું હતું? 

સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો હું વડાપ્રધાન મોદી સાથે વાત કરત, જેમને હું સારી રીતે ઓળખું છુ, તો હું તેમને કહીશ કે જો તેઓ ભારતમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરે તો એવી શક્યતા છે કે કેટલાક બિંદુ પર આવીને ભારત તૂટી શકે છે. આટલેથી પણ ન અટકતા ઓબામાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા અંગે વાત કરવી જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, પોતાના સાથીદારો સાથે માનવાધિકાર વિશે વાત કરવી થોડી મુશ્કેલ છે.

ઓબામાએ આગળ કહ્યું હતું કે, અમે જોયું છે કે જ્યારે આંતરિક સંઘર્ષ વધે છે ત્યારે તે ન તો ભારતના મુસ્લિમોના હિતમાં હોય છે અને ન તો ભારતના હિંદુઓના હિતમાં હોય છે. મને લાગે છે કે, આ બાબતો વિશે પ્રામાણિકપણે વાત કરવી જોઈએ.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget